Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના જંગલ વિસ્તારમાંથી સુરત છાપરા ભાઠાના યુવકની લાશ મળતા હત્યા કરાયાની આશંકા

Share

ઉમરપાડા માલધા ફાટા રાજ્ય ધોરીમાર્ગ પર ખાટ બંગલી ચોરવાડ બીટના જંગલમાંથી શંકાસ્પદ હત્યા કરાયેલી હાલતમાં સુરત છાપરા ભાઠાના યુવકની લાશ મળી આવી હતી.

ખાટ બંગલી ચોરવાડ બીટના જંગલમાં સ્થાનિકોને એક અજાણી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ ઉંચવણ ગામના સરપંચ અનિલભાઈ મુળજીભાઈ વસાવાને થઈ હતી જેથી તેમણે ઉમરપાડા પોલીસનો સંપર્ક કરી અજાણી લાશ મળી આવવાની ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર જઈને અજાણ્યા વ્યક્તિની લાશનો કબજો લીધો હતો અને તપાસ કરતાં આ યુવકનું આધારકાર્ડ મળી આવ્યું હતું જેમાં શૈલેષભાઈ કેશુરભાઈ ચૌહાણ રહે રિલાયન્સ નગર સાયણ રોડ છાપરા ભાઠા સુરતનો હોવાની ઓળખ થઈ હતી. યુવકના મોઢા ઉપર ઇજાના નિશાનો દેખાતા હાલ આ યુવકની હત્યા થઈ હોય તેવી શંકા હોવાથી યુવકના મૃતદેહને પીએમ માટે સુરત ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરોની પેનલ દ્વારા યુવકની લાશનું પીએમ કરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે આ યુવક ઉમરપાડાના જંગલ વિસ્તાર સુધી કેવી રીતે આવ્યો તેવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે આગળની પોલીસ તપાસમાં યુવકના મૃત્યુ અંગેની સત્ય હકીકત બહાર આવશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પંચમહાલ-કાલોલના હિંમતપુરા પાસે એસ ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત ૧ નું મોત થયા નું અનુમાન.૩૦ થી વધુ નો બચાવ….

ProudOfGujarat

ભરૂચ તાલુકાના હલદરવા ગામ નજીક આવેલા જીઇબી ના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી રૂપિયા ૩૩ લાખ ઉપરાંતના સામાનની ચોરી થતા ચકચાર મચી.

ProudOfGujarat

पश्चिम रेलवे द्वारा वडोदरा एवं रीवा स्टेशनों के बीच ग्रीष्मकालीन विशेष ट्रेन

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!