Proud of Gujarat
FeaturedGujaratINDIA

માવઠાથી થયેલ પાક નુકશાનીના વળતર માટે ઉમરપાડા કોંગ્રેસની માંગ.

Share

આજરોજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ઉમરપાડાને ખેડૂતોને માવઠાથી થયેલ પાકના નુકશાનના વળતર માટે માંગણી કરવામાં આવેલ. એક બાજુ જ્યારે ખેડૂતોને પાકના ઊપજ સામે પૂરતો ભાવ ના મળતો હોય એવા સમયે કુદરત દ્વારા પણ ધરતીપુત્રોને ન્યાય ના મળે તો આ જગતનો તાત પોતે ધણી વિહોણો હોય એવી પરિસ્થિતિ ઉભી થવા પામેલ છે. આ સંજોગોમાં સરકાર ત્વરિત પગલાં લઈ સર્વે કરાવીને જગતના તાત એવા ખેડૂતોને નુકશાનીની ભરપાઈ કરે એવી માંગણી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી હિતેશ પટેલ અને સેવાદળ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ વસાવા દ્વારા કરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોને સતત ટિકિટ દરનાં રૂપિયાનું થઇ રહેલું કોંગ્રેસ કાર્યાલય ખાતેથી વિતરણ.

ProudOfGujarat

ભરૂચ : પે આઉટમાં વધારાની માંગ સાથે ઝોમેટો રાઇડર્સ હડતાળ ઉપર ઉતર્યા

ProudOfGujarat

ભરૂચ : પીઝા હટના પીઝામાં કાચ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!