Proud of Gujarat
FeaturedGujaratINDIA

માવઠાથી થયેલ પાક નુકશાનીના વળતર માટે ઉમરપાડા કોંગ્રેસની માંગ.

Share

આજરોજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ઉમરપાડાને ખેડૂતોને માવઠાથી થયેલ પાકના નુકશાનના વળતર માટે માંગણી કરવામાં આવેલ. એક બાજુ જ્યારે ખેડૂતોને પાકના ઊપજ સામે પૂરતો ભાવ ના મળતો હોય એવા સમયે કુદરત દ્વારા પણ ધરતીપુત્રોને ન્યાય ના મળે તો આ જગતનો તાત પોતે ધણી વિહોણો હોય એવી પરિસ્થિતિ ઉભી થવા પામેલ છે. આ સંજોગોમાં સરકાર ત્વરિત પગલાં લઈ સર્વે કરાવીને જગતના તાત એવા ખેડૂતોને નુકશાનીની ભરપાઈ કરે એવી માંગણી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી હિતેશ પટેલ અને સેવાદળ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ વસાવા દ્વારા કરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જગ્યાઓ પરથી બાઇક ચોરી કરનાર ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડ રજૂ કરે છે, ઇન્સ્ટન્ટ મોટર વીમા ક્લેમ રજિસ્ટ્રેશન માટે અલગ વોઇસ બોટ સર્વિસ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં “ભૂખ્યા ને ભોજન” દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!