Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : રક્ષાબંધન પહેલા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું, મીઠાઈની દુકાનોમાંથી માવાના સેમ્પલ લેવાયા

Share

રાજ્યમાં હવે તહેવારોની સીઝન શરૂ થવાની છે. ત્યારે રક્ષાબંધન પહેલા સુરતમાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરી દુકાનોમાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતા માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબમાં મોકલવામાં આવ્યા છે.

તહેવારો પહેલા પાલિકાની તપાસ શરૂ થઈ જતી હોય છે. ત્યારે સુરતમાં પણ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરી છે. મીઠાઈમાં વપરાતા માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલો લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો કોઈ પણ સેમ્પલમાં ખામી જણાશે તો વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

માહિતી મુજબ, શહેરના દરેક ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે અને મીઠાઈ અને ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કેટલાક નાગરિકોનું કહેવું છે કે, માત્ર તહેવારોમાં જ નહીં પણ સામાન્ય દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. લેબની રિપોર્ટ પણ ઝડપી આવે અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા જવાબદાર વેપારીઓ સામે કડક અને ઝડપી કાર્યવાહી થવી જોઈએ.


Share

Related posts

”ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના પૂર અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાયનો લાભ મળશે” : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના રાજ્ય સભાના સાંસદ અહેમદભાઈ પટેલ વધુ એક છોટાઉદેપુર જિલ્લા ને પણ દશ લાખ ની ગ્રાન્ટ ની ફાળવણી કરી છે.

ProudOfGujarat

નેત્રંગના આંજોલી ગામની આદિવાસી દિકરીએ પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!