Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં રક્ષાબંધન પહેલા શહેરની વિવિધ મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ, સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા, રિપોર્ટની રાહ!

Share

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તહેવારોની સીઝન શરૂ થતા પહેલા સુરતમાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરની વિવિધ મિઠાઈની દુકાનોમાં દરોડા પાડીને મિઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં તપાસ માટે મૂકવામાં આવ્યા હતા.

જોકે, મહત્વનું છે કે લેબનો રિપોર્ટ આવતા ઘણા દિવસો નીકળી જતો હોય છે આ દરમિયાન તમામ મિઠાઈનું વેચાણ પણ થઈ જાય છે અને લોકો એ મીઠાઈને આરોગી પણ લે છે. જો કોઈ મિઠાઈનું સેમ્પલ અયોગ્ય જણાય તો પછી શું? તે મોટો સવાલ છે.

Advertisement

આવનારા તહેવારોને ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે આઠ ઝોનની અલગ-અલગ મિઠાઈની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે મીઠાઈઓના સેમ્પલ લઈને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. જો કોઈ સેમ્પલ ફેલ થાય તો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા જવાબદાર વેપારી સામે કડક પગલાં લેવામાં આવશે.

પરંતુ, મહત્ત્વનું એ છે કે લેબમાં મોકલેલ સેમ્પલની રિપોર્ટ આવવામાં ઘણો સમય લાગી જાય છે, આ દરમિયાન વેપારીઓ મીઠાઇનું વેચાણ પણ કરી દેતા હોય છે અને લોકો મીઠાઈ આરોગી પણ લેતા હોય છે. આથી જે હેતુંથી સેમ્પલ લેવામાં આવે છે તે હેતું પાર પડતો જ નથી. જો કઈ સેમ્પલનો રિપોર્ટ ફેલ થાય તો જવાબદાર વેપારીને દંડ તો કરવામાં આવે છે. પરંતુ, આ રિપોર્ટ આવતા પહેલા આવા વેપારીની મીઠાઇ લોકો આરોગી જતા હોય છે. આથી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અંગે જવાબદાર કોણ? ખરેખર લેબનો રિપોર્ટ જેટલો જલદી આવે તેટલું જ જનહિત માટે સારું છે.


Share

Related posts

માંગરોળના બોરીયા ગામે જિલ્લા ભાજપ સંગઠનના નવા વરાયેલા મંત્રી સીતાબેન ચૌધરીનો સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

સુરતમાં કુતરા કરડવાના બનાવો વચ્ચે ટી.ટી ના ઇન્જેક્શનની અછત, દર્દીઓ બહારથી ઇન્જેક્શન લેવા મજબુર

ProudOfGujarat

અખાદ્ય વસ્તુ વેચતા વેપારીઓ સામે રાજકોટ મનપાની લાલ આંખ : દુકાનદારોને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!