Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત માલધારી સમાજ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તેમની જાતિનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કર્યા હોવા છતાં લોક રક્ષકદળની ભરતીમાં અન્યાય કરવામાં આવતા તેની રજુઆત કરી છે.

Share

માલધારી સમાજને લોક રક્ષકદળની ભરતીમાં અન્યાય થતાં સૌરાષ્ટ્રમાં પોરબંદર ખાતે આ માટે માલધારી સમાજ ઉપવાસ પર ઉતરી ગયો છે જેને લઈને સમસ્ત ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે જેમાં સુરત ખાતે આજે માલધારી સમાજ દ્વારા રેલી યોજીને સુરત જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે લોક રક્ષકદળની ભરતીમાં માલધારી સમાજનાં લોકોને બાકાત કરીને અન્યાય કરવામાં આવ્યો છે. અમારા સમાજને અનુસુચિત જનજાતિનાં પ્રમાણપત્રો મળીયા છે. તેમ છતાં લીસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે તે અન્યાય છે. જેને પગલે ફરી નવું મેરીટવાળુ લીસ્ટ જાહેર કરવામાં આવે, અન્યાય મામલે તપાસ ટીમ નિમણૂક કરવામાં આવે, સહિત વિવિધ માંગણી આ સંદર્ભે રજુઆત કરતું આવેદનપત્ર આજે સુરત માલધારી સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ખરોડ ચોકડી નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત, ટ્રક નાસ્તાના સ્ટોલમાં ઘુસી જતા દોડધામ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ભરણ ગામ ખાતે એક ખેત મજૂરના બાળક પર દીપડાએ હુમલો કરતાં સારવાર દરમિયાન મોત થયું.

ProudOfGujarat

તોઉ-તે વાવાઝોડું વધુ તાકાતવર બનતા ભરૂચ જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!