સુરત મહાનગરપાલિકા દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત છે.આજરોજ એલ.એચ રોડ પર આવેલ એક મંદિરના ડિમોલેશનની કામગીરી હાથ ધરતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.આ મંદિર રસ્તાની લાઇન દોરીમાં આવતું હોવાથી તેનું ડિમોલેશન કર્યું હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે પોલીસની આ કામગીરીને પગલે મંદિરના ભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી અને પાલિકાના સત્તાધીશો સામે ડિમોલેશનનો વિરોધ કરીને સંઘર્ષની સ્થિતિ નિર્માણ કરી હતી. જોકે બંદોબસ્તમાં રહેલી પોલીસે આ દરમ્યાન કામગીરી કરી હતી.
Advertisement