Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લામાં સામાજિક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .

Share

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ઝરપણ ગામે ૧૬૦ જેટલા શ્રમિકોને રોજગારી નો લાભ મળ્યો. સામાજિક અંતર જાળવી પ્રાથમિક સારવારની આરોગ્યની સુવિધાઓ સાથે મનરેગા યોજના અંતર્ગત તળાવો અને ચેકડેમ રિસ્લતિગનું કામ શરૂ કરાયું. સુરત જિલ્લામાં લોકડાઉન વચ્ચે ઠપ થયેલ સરકારની મનરેગા યોજના અંતરના સ્થાનિક લોકોને લોક ડાઉનલોડ વચ્ચે ગામના સરપંચ દ્વારા વહીવટી મંજૂરી લઈ સામાજિક અંતર જાળવી રોજગારી આપવા સાથે તેમને યોગ્ય મહેનતાણું આપવા સાથે સ્થાનિકોને રોજગાર મળતા ખુશી જોવા મળી હતી. દેશમાં લોકડાઉનના કારણે ઘણા ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે ગામડેથી શહેરમાં ધંધા રોજગાર અથે આવતા શ્રમિકો પોતાને માદરે વતન પરત ફરી રહ્યા છે. રોજગાર ધંધા ઠપ થવાના કારણે લોકોને આર્થિક આવક બંધ થઈ ચૂકી છે. સરકાર દ્વારા જરૂરિયાત મંદો ગરીબ પરિવારોને અનાજનો વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજ પરિવારોના સભ્યો વધુ હોવાથી ક્યારેક ખૂટી પણ શકે છે એમજ અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે આર્થિક રીતે સદ્ધર હોવું પણ જરૂરી છે ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઝરપણ ગામે શ્રમિક પરિવારોને રોજગારીની તકો ઉભી કરવા પરિવારને આર્થિક મદદ ઊભી થાય તે હેતુસર ઝરપન ગામના 80 ટકા લોકો બહારગામ રોજગારી માટે જતા હોય છે. લોકડાઉનનાં કારણે બેરોજગાર બનેલા ગામના લોકોએ ગામના મહિલા સરપંચ શારદાબેન વિનોદભાઈ વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ દરિયા બેન શાંતિલાલ ભાઈ વસાવાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગામના સરપંચ શારદાબેન વિનોદભાઈ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિકોને આર્થિક આવક ઊભી થાય રોજગારી મળી રહે તે હેતુસર રોજગાર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ લોકડાઉનના અમલવારી સાથે તમામ નિયમોનું પાલન કરી આશરે 160 જેટલા શ્રમીકોને રોજગારી આપવામાં આવી હતી. ગામના સરપંચ દ્વારા ખાસ ઉનાળામાં પીવાના અને સિંચાઈના પાણીની વિકટ પરિસ્થિતિ સામે તળાવ અને ચેકડેમ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામના સ્થળે કોરોના વાયરસને લગતા સલાહ અને સુચના આપવામાં આવે છે. ગામના સરપંચ આગેવાન સ્થળ ઉપર ઉભા રહી સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન આપે છે અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવે છે મહત્વનું છે કે એક તરફ લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ થઇ ચૂકયા છે ત્યારે મનરેગા સ્થાનિકોને રોજગારી મળતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગરબા ગાઇને સિઝનલ ફ્લુની જનજાગૃતિ કરી

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે નવા કોવીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે ધરણાં કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર પ્રદુષણ મુદ્દે એન.સી.ટી એ હાઈકોર્ટનો હુકમનો અમલજ ન કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!