Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં વાવાઝોડાનાં પગલે ફાયરશાખા દ્વારા સતત કામગીરી કરાઇ.

Share

સુરતમાં ગઇકાલે 200 કી.મી. ની ઝડપથી પવન ફૂંકાતા સમગ્ર શહેરમાં તહસ-મહસ થઈ ગયું હતું. શહેરનાં વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાનાં કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.

વાવાઝોડા બાદ સુરત ફાયર શાખાની ટીમ દ્વારા સતત શહેરોમાં વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ-અલગ ઝોનમાં ફાયર શાખા દ્વારા વાવાઝોડાને કારણે ધરાશાયી થયેલા રસ્તા ઉપર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી છેલ્લા 24 કલાકથી અવિરત ચાલુ હોય સુરતમાં ફાયરશાખાના જવાનો દ્વારા સતત વૃક્ષો હટાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અહીં નોંધનીય છે કે વાવાઝોડા સુરતમાં વધુ પડતી તીવ્રતાથી આવ્યું હતું. લગભગ 200 કી.મી ની ઝડપથી પવન ફૂંકાયો હતો અને અનેક જગ્યાઓ ઉપર વૃક્ષો સાહિની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે યે, વેલા વેલા આવજ રે ..

ProudOfGujarat

બૌડા દ્વારા નંદેલાવ રોડ પર આવેલ ૨ કોમ્પ્લેક્સ સીલ કરાયા.હજી પણ બૌડાના કાયદાની વીજળી ત્રાટકે તેવી સંભાવનાના પગલે ફફડાટ…

ProudOfGujarat

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જય જગદંબા સ્ટોર્સમાંથી સામાન ભરેલ થેલાની ચોરી કરી ત્રણ તસ્કરો ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!