Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત ધોરણ-3 અને 4 નાં ભાષા શિક્ષકોની બે દિવસીય તાલીમ સંપન્ન.

Share

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં અપેક્ષિત એવાં 21 મી સદીનાં કૌશલ્યો કેળવાય એ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ ધોરણ-3 અને 4 નાં ગુજરાતી ભાષાનાં પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે. આવનારા સમય માટે વિદ્યાર્થીઓમાં જરુરી ચિંતનક્ષમતા, તાર્કિકતા અને વિવેચનાત્મકતા કેળવાય એ માટે આ પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવેલી સામગ્રી નિયત રીતે ભણાવાય એ અનિવાર્ય છે. આ પુસ્તકોનું શિક્ષણકાર્ય કરતાં કરતાં શિક્ષકને શીખવવાનો તેમજ શીખવાનો એમ બંને પ્રકારનો આનંદ મળે છે. શિક્ષણનાં આવા ઉભયલક્ષી અભિગમને ચરિતાર્થ કરવાનાં શુભ હેતુસર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ-3 અને 4 નાં ભાષા શિક્ષકોની બે દિવસીય ભાષા તાલીમનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા કરવામાં આવ્યુ હતું.

અસ્નાબાદ પ્રાથમિક શાળા, માસમા પ્રાથમિક શાળા તથા રાજનગર પ્રાથમિક શાળા એમ ત્રણ સ્થળોએ યોજાયેલ આ તાલીમ વર્ગમાં તાલુકાનાં 11 ક્લસ્ટરનાં કુલ 125 શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. સદર તાલીમ વર્ગમાં નિયુક્ત તજજ્ઞો દ્વારા અધ્યયન નિષ્પત્તિઓ, એકમનાં વિશિષ્ટ શીર્ષક, મુખરવાચન, શ્રુતલેખન, સ્વતંત્રલેખન, મૂલ્યશિક્ષણ, પ્રવૃત્તિઓનું વૈવિધ્ય, અર્થગ્રહણ માટેની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ, કલાત્મક ચિત્રો જેવાં વિવિધ મુદ્દાઓ ઉપર તબક્કાવાર સવિસ્તર છણાવટ કરવામાં આવી હતી. તદુપરાંત તાલીમાર્થીઓને બાયસેગ દ્વારા ઓન ઍર તાલીમ સંબંધિત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

તાલીમનાં પ્રથમ દિવસે તાલીમાર્થીઓની પ્રિ-ટેસ્ટ તથા બીજા દિવસે તાલીમનાં અંતે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. અંતિમ ચરણમાં તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

ભરૂચનાં સેગવા ગામ ખાતે વરસાદી પાણી ભરાઈ જતા 20 થી વધુ લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું

ProudOfGujarat

પંચમહાલ : ઘોઘંબાની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ : 2 ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!