Proud of Gujarat
INDIAFeaturedGujarat

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને જીલ્લા પોલીસ વડા નો લોક દરબાર યોજાયો

Share

સુરેન્દ્રનગર કલ્પેશ વાઢેર

9106490208

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના લોકોની સમસ્યા નું નિરાકરણ લાવવા જિલ્લા પોલીસ વડાએ લોક દરબાર યોજાયો હતો હાલ જ્યારે લોકોની સમસ્યા અંગે જિલ્લા પોલીસ હેડકોટર જવું પડે છે ત્યારે આજરોજ જિલ્લા પોલીસ વડાએ ધ્રાંગધ્રા તાલુકાના 64 ગામડાના લોકોને પડતી હાલાકી સાંભળવા ખુદ જિલ્લા પોલીસ વડા મનિન્દર પ્રતાપસિંહ પવાર દ્રારા ધ્રાંગધ્રા તાલુકા નો લોક દરબાર તાલુકા પોલીસ સ્ટેશને રાખ્યો હતો જેમાં ધ્રાંગધ્રા તાલુકાનો મોટો પ્રશ્ન ખેડૂતોનો પાણી નહીં મળતો હોવાનું લોકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી અને જે પોલીસ દ્વારા ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય બાબતે એસ.પી સાહેબ ને ખેડુતે વ્યથા જણાવી હતી આ લોક દરબારમાં ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગામોમાંથી લોકો આવી જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરી હતી આ કાર્યક્રમ મા જિલ્લા પોલીસ વડા મનિન્દર પ્રતાપસિહ પવાર, ડીવાયએસપી આર.બી દેવધા પી.આઈ એસ.પી વસુનિયા, ખુમાનસિંહ વાળા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો નુ નિરાકરણ લાવ્યું હતું જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે પાણી બાબતનો પ્રશ્ન નર્મદા વિભાગ માં આવતો હોવાથી કલેકટર ને રજૂઆત કરી જે તે અધિકારીને દ્વારા સુચના અપાવવા ખાતરી અપાઈ હતી


Share

Related posts

ગોધરા : નર્મદાની પાઇપલાઇનનુ સમાર કામ પુર્ણ થતા નગરજનોને રાબેતા મૂજબ પાણી પુરવઠો મળશે.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના આદિમ જુથ પરિવારોને કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શિત કરી વિવિધ લાભોથી લાભાનવીત કરવા હાથકુંડી ફળીયા ખાતે પીએમ જનમન કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં એકને ઇજા, બે નાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!