Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ક્રાંતિ દિવસની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

Share

ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગુજરાતનાં સમગ્ર શહેરો અને ગામડાઓમાં તિરંગા યાત્રાના આયોજન થઈ રહ્યા છે. જેને પગલે વડોદરા કોંગ્રેસ સમિતિ પણ ભાજપના નકસેકદમ પર ચાલતી હોય તેમ ક્રાંતિ દિવસની ઉજવણીના ભાગસ્વરૂપે વડોદરામાં લકડીપૂલ કાર્યાલયથી ગાંધીનગર ગૃહ સુધી તિરંગાયાત્રા યોજી હતી.

કોંગ્રેસ પ્રભારી પંકજ પટેલની ઉપસ્થિતિમાં સદર યાત્રા શહેર કોંગ્રેસ કાર્યાલયથી નીકળી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. 15 મી ઓગષ્ટે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ક્રાંતિ દિવસને યાદ કરી દેશની આઝાદી મેળવવામાં જે સ્વતંત્રય સેનીઓએ પોતાના જાનની આહુતિ આપી છે તેવા દેશભકતો વીરોને વીરાંજલી અર્પણ કરી તિરંગા યાત્રા થકી તેમનું સ્મરણ કરાવ્યુ હતું. સમગ્ર દેશમાં તિરંગા યાત્રા નિમિત્તે દિલ જોશ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

વાપીના જૂના રેલ્વે ફાટકે માતા-પુત્રીનું ટ્રેન અડફેટે કમકમાટીભર્યા મોત, એક પુત્રીનો બચાવ.

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનાં 6 સભ્યોનાં ઘરે જઈને કર્મચારીઓએ હલ્લાબોલ કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના વાલીયાથી આશરે સાત કિલોમીટરનાં અંતરે આવેલા તુણા ગામ જે ડહેલીથી સોડગામ જવાના રસ્તા વચ્ચે આવતુ ગામ છે તુણા ગામના પાદર ઉપર વહેતી પૂર્વવાહિની લોકમાતા કીમાવતી ( કીમલી ) નદીના કાંઠે આવેલ સ્વંયભુ અઘોરેશ્વર મહાદેવનું પ્રાચીન મંદીર સમગ્ર ભરૂચ જીલ્લામાં અને વાલિયા તાલુકામાં શ્રધ્ધા અને ભક્તિનું કેંદ્ર બન્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!