Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના વુડા સર્કલ ખાતે અકસ્માત ઝોનના પ્રશ્નનું નિરાકરણ લાવવા આવેદનપત્ર પાઠવાયું.

Share

વડોદરાના વુડા સર્કલ ખાતે છાશવારે થતાં અકસ્માતોના કારણે અનેક લોકોને ગંભીર ઇજા થઈ છે અનેક ઘટનામાં તો ઈજાગ્રસ્તો મોતને પણ ભેટ્યા છે ત્યારે આ અકસ્માત ઝોનનો પ્રશ્ન નિવારવા છેલ્લા અનેક વર્ષોથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર મુહિમ ચલાવી રહ્યા છે. વુડા સર્કલ ખાતે ઝેબ્રાક્રોસિંગ બનાવવા સાથે ટ્રાફિક સિગ્નલ મૂકી ત્યાં સીસીટીવી બનાવવા સહિતની માંગણીઓ વારંવાર કર્યા બાદ પણ રજૂઆતો ધ્યાને ન લેવાતા ગઈકાલે તેઓ ઉપવાસ પર બેઠા હતા. સામાજિક કાર્યકર વુડા સર્કલ ખાતે ઉપવાસ પર બેઠા હોવાની જાણ પોલીસને થતા પોલીસે કમલેશ પરમારની અટકાયત કરી હતી ત્યારે તે અટકાયતના વિરોધમાં અને અકસ્માત ઝોનના પ્રશ્નનું નિરાકરણ આવે તે હેતુસર રજુઆત કરતું આવેદનપત્ર આજે કમલેશ પરમાર સામજિક કાર્યકરે જિલ્લા સેવા સદન કચેરી ખાતે સુપ્રત કર્યું હતું. તેઓની સાથે રજૂઆત કરવા માટે અન્ય સામાજિક કાર્યકરો પણ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરુચ : વાગરા તાલુકાનાં અખોડ ગામની સીમમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ખળભળાટ.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ગામનાં આઠ મતદાન મથકો પર બપોરનાં એક વાગ્યા સુધીમાં સરેરાશ ૪૨ ટકા મતદાન થયું.

ProudOfGujarat

વડોદરાના માંજલપુરમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિની બાળકો કિંમત કરે અને અનુસરે તે ઉદ્દેશથી ભૂલકાઓ માટે સમર કેમ્પનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!