Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : 28 વર્ષથી SRP માં ફરજ બજાવતા જવાને સર્વિસ રાયફલથી પોતાને ગોળી મારી આપઘાત કર્યો

Share

વડોદરા શહેરમાં એસઆરપી જવાને ફરજ દરમિયાન સર્વિસ રાયફલથી પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. SRP ગ્રૂપ 1માં ફરજ બજાવતા જવાન છેલ્લા કેટલાક વર્ષોથી બીમાર હોવાના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ નર્મદા જિલ્લાના ટીલાકવાળા તાલુકાના ફતેપુરા ગામના પ્રવીણભાઈ બારિયા છેલ્લા 28 વર્ષથી SRPમાં ફરજ બજાવતા હતા. પ્રવીણભાઈએ ફરજ દરમિયાન સર્વિસ રાયફલથી પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે પરિવારે જણાવ્યું કે, પ્રવીણભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર બીમારીથી પીડાતા હતા, જેના કારણે કંટાળીને તેમણે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. જો કે, હાલ પ્રવીણભાઈના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે.

Advertisement

માહિતી મુજબ, પ્રવીણભાઈ શહેરના લાલબાગ ખાતે આવેલ SRP કેમ્પસમાં ફરજ પર હતા. દરમિયાન તેમણે ખુદને ગોળી મારી આપઘાત કર્યો હતો. એસઆરપી જવાન પ્રવીણભાઈની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હાલ પણ અકબંધ છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પીએમ બાદ મૃતક પ્રવીણભાઈના અંતિમ સંસ્કાર તેમના વતન ફતેપુર ગામ ખાતે કરવામાં આવશે.


Share

Related posts

ભરૂચ નગરના શક્તિનાથ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને નડતર બાઈકોને ડિટેઇન કરી દંડ કરાયો…

ProudOfGujarat

ભરૂચ : રાજકીય કિસાન વિકાસ સંધ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રાજીનામાની માંગણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં સાંસદ અને ઝધડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!