15 મી માર્ચે પ.પૂ. માન્ય કાશીરામ સાહેબની જન્મ જયંતિ હોઈ જે સંદર્ભે કારણે કરજણ જુનાબજાર વલિનગરી મેદાનમા મુળ નિવાસી એકતા મંચ તથા S. S. D. પરિવારે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં નાના ભુલાકાઓ, નવયુવાનો, વડીલો તેમજ માતા બહેનોએ મોટી સંખ્યામા ભાગ લીધો હતો. આ રેલી જુના બજાર વલિનગરીથી નીકળી નવાબજાર કોર્ટ પાસે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે જઈ ડો. બાબા સાહેબ આંબેડકર ને સલામી આપી પૂર્ણ કરી હતી.

રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવા સંગઠનને એકતા રાખી સમાજ સેવા કરવી તેમજ શિક્ષિત બનો. આ રેલીમાં મૂળ નિવાસી એકતા મંચ કરજણ તથા B.T.S., સંગઠને ટેકો જાહેર કર્યો હતો.

યાકુબ પટેલ : કરજણ
Advertisement
