Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સંયુકત કિસાન મોરચાનાં નેતા રાકેશ ટીકૈટ તેમજ શંકરસિંહ વાઘેલાનું કરજણ કોંગ્રેસ દ્વારા સ્વાગત માટેનો કાર્યક્રમ બંને નેતાઓનો રસાલો કોઈ કારણોસર ઓવરબ્રિજ પરથી પસાર થઈ જતા કાર્યક્રમ રદ થયો હતો.

Share

છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે આવેલા સંયુક્ત કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ ટીકૈટ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું કરજણ ખાતે ખેડૂત સંગઠન તેમજ કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોઈ માત્ર જૂજ સંખ્યા જોવા મળી હતી. માત્ર કૉંગ્રેસ હોદેદ્દારો અને જૂજ સંખ્યામાં ખેડૂત આગેવાનો જોવા મળ્યા હતા.

જ્યારે રાકેશ ટીકૈટ અને શંકરસિંહ વાઘેલાની ગાડીનો રસાલો કરજણ ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ ગયો ત્યારે બ્રિજ નીચે પ્રતિક્ષા કરી રહેલા કોંગી કાર્યકરો તેમજ ખેડૂત આગેવાનોમાં નિરાશા જોવા મળી હતી. કોંગ્રેસના કાર્યકરો હાથમાં ફુલહાર લઈ ઉભા રહ્યા હતા પરંતુ કોઈ કારણોસર સમગ્ર રસાલો કરજણ ઓવર બ્રિજ ઉપરથી પસાર થઇ જતા સમગ્ર કાર્યક્રમ ફ્લોપ સાબિત થયો હતો. કરજણ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચની શ્રવણ વિદ્યાભવનમાં ધો. ૧૦,૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પણ ૧૪ જુલાઈ યોજનાર રથયાત્રા દરમિયાન હાલોલ નગર સેવા સદન ખાતે રથયાત્રા પૂર્વેની શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

આઝાદીનો આ અમૃત મહોત્સવ ક્યારે શરૂ થયો? આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!