Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા તાલુકાના પોર સ્થિત બળીયાદેવ મંદિર પાસે વહેતી ઢાઢર નદી પર રૂપિયા ચાર કરોડના ખર્ચે કોઝ વે નું નિર્માણ કરાશે.

Share

વડોદરા તાલુકાના પોર સ્થિત સરકાર હસ્તક આવેલું સુપ્રસિદ્ધ બળીયાદેવ મંદિર પાસે વહેતી ઢાઢર નદી પર સાદો બ્રિજ (કોઝ વે) નું રૂપિયા ચાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. બ્રિજ મંજૂર થતા બળીયાદેવ મંદિર ખાતે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે.

ઉપરોક્ત બ્રિજ યાત્રાળુઓની સવલત માટે મદિરના સ્વભંડોળમાંથી રૂપિયા ચાર કરોડના ખર્ચે કરવાની સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બળીયાદેવના મંદિરે જવા માટે પોર ગામમાંથી જવુ પડતુ હતુ અને બજારમાં ટ્રાફિકની સમસ્યા થતી હતી. હવે બ્રિજ મંજૂર થતા બ્રિજનું કાર્ય પૂર્ણ થશે ત્યારે શ્રદ્ધાળુઓને તેમજ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત, ટ્રિપલ અકસ્માતમા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

ભરૂચ : પાલેજ નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યકિતઓને ઇજા…

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!