Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની નંદેસરી જીઆઇડીસીના સભ્યો સાથે ઔદ્યોગિક પ્રશ્નોની છણાવટ કરતાં ધારાસભ્ય પુંજાભાઇ.

Share

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આજે વડોદરા નજીક નંદેસરી જી.આઈ.ડી.સી ની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાની હેઠળની સમિતિના સભ્યોએ નદેસરી જી.આઈ.ડી.સી ના હોદેદારો સાથે બેઠક યોજી નદેસરીમાં કાર્યરત વિવિધ ઔધોગિક એકમોની જાણકારી મેળવી સાથેની પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી. સમિતિએ સ્થાનિક લોકોની પણ રજૂઆતો સાંભળી હતી.

સમિતિના અધ્યક્ષ પુંજાભાઈ વંશે જણાવ્યું કે નંદેસરી જી.આઈ.ડી.સી માં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવેલ કામગીરી સહિત ઔધોગિક એકમો દ્વારા હવા પ્રદુષણ નિયંત્રણ અંગે લેવાયેલ વિસ્તૃત પગલાંઓ સહિત ઉધોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કરી તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા અંગેની વિસ્તૃત જાણકારી સમિતિના સભ્યોએ મેળવી છે. સમિતિ તેનો અભ્યાસ કરી સરકારને જરૂરી ભલામણ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

નંદેસરી જી. આઈ.ડી.સી.ના પ્રમુખ ભરતભાઈ શાહે જી.આઇ.ડી.સી સહિત આસપાસના વિસ્તારમાં પ્રદુષણ નિયંત્રણ માટે લેવામાં આવી રહેલા પગલાંઓ અંગે પાવર પોઇન્ટ નિદર્શન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. સમિતિના સભ્યોએ સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન્ટ, જી.આઈ.ડી.સી પાણી પુરવઠા પ્લાન્ટની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વિભાગીય અધિકારી આર.બી.ત્રિવેદી, એન. આઈ. એ.ના હોદેદારો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વર્ક ફ્રોમ હોમની લાલચમાં શિક્ષિકા સાથે 95 હજારની ઓનલાઈન ઠગાઈ : ટેલીગ્રામ ગ્રુપ મારફતે હોટલ રેટિંગના કામના બહાને નાણા પડાવ્યા, ભરૂચ સી-ડિવિઝનમાં ગુનો નોંધાયો

ProudOfGujarat

વાંકલ : ચોખવાડાના નવનિર્મિત મેદાન ખાતે ડી.વાય.એસ.પી દ્વારા પોલીસ વિભાગને લગતી ભરતી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ProudOfGujarat

144 મી જગન્નાથજી મંદિરની જળયાત્રાને મળી મંજૂરી, જાણો કેવી રીતે યોજાશે રથયાત્રા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!