Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં 850 કિલો કાચા કેળામાંથી તૈયાર કરાઈ ગણેશ મૂર્તિ…

Share

 
વડોદરાઃ ઉત્સવ પ્રિય વડોદરા નગરીમાં અપાર ઉત્સાહ સાથે ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. ગણેશોત્સવમાં શહેરના રાવપુરામાં ચિત્તેસ્થાન યુવક મંડળ દ્વારા 850 કિલો કાચા કેળામાંથી તૈયાર કરવામાં આવેલી શ્રી દુંદાળાદેવની મૂર્તિએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. વિસર્જનના દિવસે આ કેળાનો પ્રસાદ કરવામાં આવશે.

સાંજ થતાની સાથે જ ગણેશ પંડાલોમાં થાય છે લોકોની ભીડ

Advertisement

પ્રતિવર્ષ મુજબ ગણેશચતર્થીના દિવસથી પાર્વતી નંદન શ્રી ગણેશજી ઉત્સવપ્રિય વડોદરા નગરીના નગરજનોનું દસ દિવસનું વિવિધ સ્વરૂપે પરોણાગત માણવા પધાર્યા છે. છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા ગણેશોત્સવમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ સ્વરૂપે બિરાજમાન શ્રીજીના દર્શન માટે શહેરીજનો સાંજ પડતાજ પંડાલોમાં ઉમટી રહ્યા છે.
કાચા કેળામાંથી તૈયાર કરાઈ છે શ્રીજીની 5 ફૂટ ઉંચી મૂર્તિ

ગણેશમય બની ગયેલા શહેરમાં આ વર્ષે પણ વિવિધ યુવક મંડળોના યુવાનો દ્વારા પોતાની કલ્પના મુજબ શ્રીજીને વિવિધ સ્વરૂપે કંડાર્યા છે. જેમાં રાવપુરામાં આવેલ શ્રી ચિત્તેસ્થાન યુવક મંડળના યુવાનો દ્વારા 850 કિલો કાચા કેળામાંથી તૈયાર કરલી શ્રીજીની 5 ફૂટ ઉંચી મૂર્તિએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. સાંજ પડતાં 850 કિલો કાચા કેળામાંથી બનાવેલા શ્રી ગણેશજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે…સૌજન્ય


Share

Related posts

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.

ProudOfGujarat

બીલીમોરા માં રેલવે દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચ શહેર ના બાયપાસ વિસ્તાર માં બિસ્માર રસ્તા ના મુદ્દે લોકો તંત્ર સામે હોબાળો કરી થોડા સમય માટે ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઇ હતી …….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!