Proud of Gujarat
FeaturedGujaratINDIA

માલધારી સમાજના યુવાનની ધંધુકામાં કરાયેલી હત્યાના પગલે વડોદરામાં ઘેરા પ્રત્યાઘાત.

Share

અમદાવાદના ધંધુકામાં તાજેતરમાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે વડોદરાના ભરવાડ સમાજ દ્વારા બાઇક રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવાયું છે.

આજે વડોદરામાં ધંધુકાની ઘટનાના પગલે માલધારી સમાજ દ્વારા એલ એન્ડ ટી સર્કલથી મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર સમક્ષ લેખિત પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. હિન્દુ સંગઠન દ્વારા કલેકટર સમક્ષ પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે માલધારી સમાજના યુવાન પર થયેલી હત્યાના મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ તકે માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગના ભેંસખેતર ગામે મહિલા બાઇક ઉપરથી પડતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક ને.હા.48 સ્થિત અંસાર માર્કેટ પાસે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

માથા ભારે ચાર ઈસમોની પાસા હેઠળ અટકાયત કરતી રાજપારડી પોલીસ.ખાણખનીજ ખાતાના કર્મચારીઓ ઉપર માથા ભારે ઈસમોએ હુમલો કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!