Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણના કંડારી નજીક અજાણ્યા વાહન ચાલકે માર્ગ ક્રોસ કરી રહેલા ત્રણ ઈસમને અડફેટે લેતા બે ના મોત.

Share

નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના કંડારી ગામ નજીક એક અજાણ્યા વાહન ચાલકે માર્ગ ક્રોસ કરી રહેલા ત્રણ ઇસમોને અડફેટે લેતા બે ઇસમોના મોત નિપજવા પામ્યા હતા જ્યારે અન્ય એક ઇસમને ઈજાઓ થવા પામી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કંડારી ગામમાં રાખેલ ભાથીજી મહારાજના ભંડારામાં જમવા માટે જતા ફરીયાદીના પતિ હરીભાઈ રામસંગભાઈ વસાવા તથા જયેશભાઇ લાલુભાઇ રાઠવા તથા પીયુષભાઈ મુકેશભાઈ રાઠવા નાઓ કંડારી ગામ નજીક ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે વખતે વડોદરા તરફથી એક અજાણ્યા વાહન ચાલક તેનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ત્રણેયને અડફેટે લેતા હરીભાઈ રામસંગભાઈ વસાવા તથા લાલુભાઇ કેસરીયાભાઇનો દીકરો જયેશભાઇ લાલુભાઇ રાઠવા ઉ.વે, ૦૮ નાઓનુ સ્થળ ઉપર મોત નિપજવા પામ્યું હતું. જ્યારે પીયુષભાઇ મુકેશભાઇ રાઠવા નાઓને શરીરે ઓછીવત્તી ગંભીર ઇજાઓ થવા પામી હતી. અક્સ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઇ ગયો હતો. પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

AMC નું 2023-24 નું 9482 કરોડનું બજેટ રજૂ, પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ‘અગ્નિપથ’ યોજનામાં સુધારો કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ : આદિવાસી વિસ્તારોમાં અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા ધારાસભ્ય છોટુ વસાવાએ પત્ર લખી મુખ્યમંત્રી પાસે માંગણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!