Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : માંજલપુરમાં આવેલ શિવ દર્શન સોસાયટી પાસે ગટર લાઇનની કામગીરી અધૂરી કરતા રહેવાસીઓ દ્વારા મ્યુ.કમિશનરને પાઠવ્યું આવેદન.

Share

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ શિવ દર્શન સોસાયટી પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદી ગટર લાઈન બનાવવામાં આવી રહી છે જે બંને સાઈડ ફકત 50 મીટર જેટલું જ કાર્ય કરવામાં આવ્યું છે જેના અનુસંધાને આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કમિશનર શાલિની અગ્રવાલને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

શિવદર્શન સોસાયટીના પંકજ પટેલ દ્વારા જણાવ્યું છે કે શિવ દર્શન સોસાયટી પાસે મહાનગરપાલિકા દ્વારા વરસાદી ગટરલાઈન બનાવવામાં આવી રહી છે જેના અનુસંધાને એન્જિનિયર પાસે અમોએ માહિતી માંગતા તેઓએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે કોઈ પણ પ્રકારની માહિતી અમો આપી શકીશું નહીં તેમજ બંને સાઇડ માત્ર ૫૦ મીટર જેટલું જ કામ કરવામાં આવ્યું છે ત્યારે આ કામગીરી અઢીસો મીટરની કરવાની છે. શિવદર્શન સોસાયટીના રહેવાસીઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ રજૂઆત કરીએ છીએ કે અમારા વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનું કામ કરવામાં આવે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના નર્મદા બસ પોર્ટ કંપનીના ડાયરેક્ટર હેમા બેન મજમુદાર દ્વારા તેઓના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી..જેમાં શહેર ના 120 અનાથ તેમજ ગરીબ બાળકોને 25 લકઝ્યુરિયસ કારમાં પીકનીક પર લઈ જવાયા હતા…

ProudOfGujarat

દહેજ : ગલેન્ડા ખાતે આવેલ ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સ કંપનીમાં થયેલ એસ.એસ.ની ચોરીનો ભેદ ઉકેલી પાંચ ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર સંવર્ગ, વર્ગ-2 ના અધિકારીઓની સામૂહિક બદલી અને બઢતી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!