Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયાના મણી ઘાટ પર પાણી ભરવા ગયેલ ઈસમ પર મગરનો હુમલો, ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો..!!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મણી ઘાટ પર આજે બપોરના સમયે ૩૬ વર્ષીય સંજય સુનિલભાઈ વસાવા નાઓ પાણી ભરવા માટે ગયા હતા, તે દરમિયાન અચાનક જ મગરે તેઓ ઉપર હુમલો કરી પાણીમાં ખેંચી જતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સુનીલ વસાવાને મગર પાણીમાં ખેંચી જતા સુનિલ મગરને લઇને પાણીની બહાર આવ્યો હતો અને હેમખેમ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો, ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતા ઇજાગ્રસ્ત સુનિલ વસાવાને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યો હતો.

Advertisement

મહત્વનું છે કે ઉનાળાની ઋતુમાં મગર દેખાવા અને મગરના હુમલાના બનાવો પણ વધી રહ્યા છે, ત્યારે ઝઘડિયા ખાતેથી સામે આવેલી આ ઘટના નર્મદા નદીમાં મગરોની ઉપસ્થિત અંગેની સાબિતી આપી રહી છે,ત્યારે લોકોએ પણ નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં જતા પહેલાં સાવધાની રાખવી અત્યંત જરુરી જણાય છે.

હારૂન પટેલ


Share

Related posts

ભરૂચ : ભારતી રો હાઉસ વિસ્તારમાં સાયકલ ચોર ગઠિયો સી.સી.ટી.વી માં કેદ…

ProudOfGujarat

ભરૂચ શહેરના જર્જરિત મકાનો ઉતારી લેવા નગરપાલિકાનો આદેશ : સર્વે દરમિયાન જર્જરિત મકાનોની સંખ્યા 300 નોંધાઇ.

ProudOfGujarat

વડોદરા : છાણી જીએસએફસી બ્રિજ ઉપર બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં ચાલક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!