Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયાના મણી ઘાટ પર પાણી ભરવા ગયેલ ઈસમ પર મગરનો હુમલો, ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો..!!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મણી ઘાટ પર આજે બપોરના સમયે ૩૬ વર્ષીય સંજય સુનિલભાઈ વસાવા નાઓ પાણી ભરવા માટે ગયા હતા, તે દરમિયાન અચાનક જ મગરે તેઓ ઉપર હુમલો કરી પાણીમાં ખેંચી જતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સુનીલ વસાવાને મગર પાણીમાં ખેંચી જતા સુનિલ મગરને લઇને પાણીની બહાર આવ્યો હતો અને હેમખેમ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો, ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતા ઇજાગ્રસ્ત સુનિલ વસાવાને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યો હતો.

Advertisement

મહત્વનું છે કે ઉનાળાની ઋતુમાં મગર દેખાવા અને મગરના હુમલાના બનાવો પણ વધી રહ્યા છે, ત્યારે ઝઘડિયા ખાતેથી સામે આવેલી આ ઘટના નર્મદા નદીમાં મગરોની ઉપસ્થિત અંગેની સાબિતી આપી રહી છે,ત્યારે લોકોએ પણ નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં જતા પહેલાં સાવધાની રાખવી અત્યંત જરુરી જણાય છે.

હારૂન પટેલ


Share

Related posts

ભરૂચ શહેર જીલ્લામાં આજથી વાહન ચાલકો નિયમોનો ભંગ કરશે તો ઇ મેમો ઘરે આવશે તેની શરૂઆત થઈ ગઈ છે.

ProudOfGujarat

ભરૂચ – જંબુસર ચોકડી પાસે વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલ ભયંકર આગ મામલે પોલીસે ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કર્યો.

ProudOfGujarat

યુદ્ધની શકયતા વચ્ચે કેમીસ્ટોને બે મહિનાની દવાનો સ્ટોક તૈયાર રાખવા તાકિદ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!