Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયાના મણી ઘાટ પર પાણી ભરવા ગયેલ ઈસમ પર મગરનો હુમલો, ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો..!!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મણી ઘાટ પર આજે બપોરના સમયે ૩૬ વર્ષીય સંજય સુનિલભાઈ વસાવા નાઓ પાણી ભરવા માટે ગયા હતા, તે દરમિયાન અચાનક જ મગરે તેઓ ઉપર હુમલો કરી પાણીમાં ખેંચી જતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સુનીલ વસાવાને મગર પાણીમાં ખેંચી જતા સુનિલ મગરને લઇને પાણીની બહાર આવ્યો હતો અને હેમખેમ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો, ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતા ઇજાગ્રસ્ત સુનિલ વસાવાને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યો હતો.

Advertisement

મહત્વનું છે કે ઉનાળાની ઋતુમાં મગર દેખાવા અને મગરના હુમલાના બનાવો પણ વધી રહ્યા છે, ત્યારે ઝઘડિયા ખાતેથી સામે આવેલી આ ઘટના નર્મદા નદીમાં મગરોની ઉપસ્થિત અંગેની સાબિતી આપી રહી છે,ત્યારે લોકોએ પણ નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં જતા પહેલાં સાવધાની રાખવી અત્યંત જરુરી જણાય છે.

હારૂન પટેલ


Share

Related posts

અંકલેશ્વર બ્રેકિંગ- ૨૦ થી ૨૨ જેટલી ગાયો સાથે આઈસર ટેમ્પો સહિત એક તુફાન ફોરવિલ ગાડીની ગૌરક્ષકો દ્વારા અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

ગોધરા : શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને લો કોલેજના NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુજલામ સુફલામ જળ યોજના અંર્તગત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!