Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે આર.સી.સી. રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં દુ.વાઘપુરા ગામે ઝવેરનગર વિસ્તારમાં આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ગ્રામ પંચાયતના વોર્ડ નં.૯ માં સમાવિષ્ટ ઝવેરનગર ખાતે દુ.વાઘપુરાના સરપંચ મુકેશભાઇ વસાવાના હસ્તે આરસીસી રસ્તાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

નવા બનનાર આરસીસી રસ્તાનું ખાતમુહર્ત કરાતા સોસાયટીના રહીશોમાં આનંદની લાગણી ફેલાવા પામી હતી. આ માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ થાય એવી લાગણી સોસાયટીના રહીશોએ વ્યક્ત કરી હતી, જેથી ચોમાસામાં પડતી હાડમારી નિવારી શકાય. ખાતમુહુર્તના આ કાર્યક્રમમાં ગ્રામપંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ખાતમુહર્ત બાદ વહેલી તકે કામ શરુ કરવામાં આવશે એમ જણાવાયું હતુ. ઉલ્લેખનીય છેકે ઉમલ્લા દુ.વાઘપુરા એ ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથકો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયાની વર્ધમાન એક્રેલિક કંપનીમાં કોરોના સારવારનો ખર્ચ આપવાની માંગ સાથે કામદારો હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

નડિયાદમાં કોંગ્રેસ સમિતિએ જીગ્નેશ મેવાણીની ધરપકડ મામલે વિરોધ કર્યો.

ProudOfGujarat

ઝઘડીયાના એક ગામમાં ૧૬ વર્ષીય કિશોરી ઉપર ૮ નરાધમોએ કર્યો સામુહિક બળાત્કાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!