Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના મોરતલાવ ગામની મહિલાનું કેનાલમાં ડુબી જવાથી મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની ૫૦ વર્ષીય પ્રૌઢ મહિલાનું કેનાલમાં ડુબી જવાથી મોત થયુ હતું. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મોરતલાવ ગામે રહેતી વનિતાબેન વિનુભાઇ વસાવા નામની ૫૦ વર્ષીય મહિલા ગતરોજ તા.૩૧ મીના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં મોરતલાવ ગામ નજીક આવેલ કેનાલ ઉપર કપડા ધોવા ગઇ હતી. આ મહિલા સમયસર ઘરે નહિ આવતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. દરમિયાન આ મહિલાનો મૃતદેહ તલોદરાથી કડવાતલાવ જતા એક ખેતરમાંથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યો હતો. કેનાલ ઉપર કપડા ધોવા ગયેલ આ મહિલાનું મોત આકસ્મિક કારણોસર કેનાલમાં પડી જતા ડુબી જવાના કારણે થયું હોવાનું જણાવાયું હતું. આ અંગે વિનુભાઇ ઇશ્વરભાઇ વસાવા રહે. મોરતલાવ બોરજાઇ ફળિયું, તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં જાણ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : BTP અને AIMIM નાં ગઠબંધનનો મામલો, કોંગ્રેસનાં ગઢ સમાન પશ્ચિમ ભાગે આવેલ મનુબર ચોકડી વિસ્તારમાં ઓવૈસી અને છોટુ વસાવાનું મહા સંમેલન.

ProudOfGujarat

એક તરફ પદ્માવત ફિલ્મ આવતી કાલે રીલીઝ થવાની વાતો ચાલી રહી છે, બીજી તરફ મલ્ટીપ્લેક્ષ થિયેટર વાળા પોતાના થીયેટરમાં ફિલ્મ રીલીઝ કરવાની નાં પાડે છે. કાલે શું થશે ? સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ ફિલ્મ તો કાલે રીલીઝ થશે.

ProudOfGujarat

કરણ જોહરથી મોઝેઝ સિંઘ સુધી: દિગ્દર્શકો જે સિનેમાને ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન સ્ટાઇલ દ્વારા ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!