Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના મોરતલાવ ગામની મહિલાનું કેનાલમાં ડુબી જવાથી મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની ૫૦ વર્ષીય પ્રૌઢ મહિલાનું કેનાલમાં ડુબી જવાથી મોત થયુ હતું. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મોરતલાવ ગામે રહેતી વનિતાબેન વિનુભાઇ વસાવા નામની ૫૦ વર્ષીય મહિલા ગતરોજ તા.૩૧ મીના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં મોરતલાવ ગામ નજીક આવેલ કેનાલ ઉપર કપડા ધોવા ગઇ હતી. આ મહિલા સમયસર ઘરે નહિ આવતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. દરમિયાન આ મહિલાનો મૃતદેહ તલોદરાથી કડવાતલાવ જતા એક ખેતરમાંથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યો હતો. કેનાલ ઉપર કપડા ધોવા ગયેલ આ મહિલાનું મોત આકસ્મિક કારણોસર કેનાલમાં પડી જતા ડુબી જવાના કારણે થયું હોવાનું જણાવાયું હતું. આ અંગે વિનુભાઇ ઇશ્વરભાઇ વસાવા રહે. મોરતલાવ બોરજાઇ ફળિયું, તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં જાણ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નારાયણ ઓર્ગેનિક્સ કંપનીને મુંબઈ ની એસબીએસ યુરોપ એસએબી કંપની માલિકે 1 કરોડ 19 લાખ ઉપરાંતનો ચૂનો ચોપડ્યો 

ProudOfGujarat

વડોદરા : દશેરા પર્વની ઉજવણી નિમિત્તે પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરીઓપ.

ProudOfGujarat

દહેજની કંપની ને નુકશાન થઇ રહ્યું છે નર્મદા નદી સુકાઈ જવાને કારણે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!