Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનનાર મકાનનું ખાતમુહૂર્ત કરાયુ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે ગ્રામ પંચાયતના નવા બનાવવામાં આવનાર મકાનનું આજરોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરપંચ સુરેશભાઇ વસાવા તેમજ ઉપસરપંચ વિનોદભાઇ વસાવાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. તાલુકા મથક ઝઘડિયા ખાતે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનાવવામાં આવનાર મકાનના ખાત મુહુર્તના કાર્યક્રમમાં સરપંચ સુરેશભાઇ વસાવા, ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, ભાજપા અગ્રણી દિનેશભાઇ વસાવા, સંજયસિંહ ચૌહાણ, તલાટી જનકભાઇ, અગ્રણીઓ વિજયસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ પરમાર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે સુલતાનપુરા ખાતે પાણીની ટાંકી પાસે ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવાશે. જીલ્લા પંચાયત દ્વારા રુ.૨૫૭૭૦૦૦ ના ખર્ચે આ નવું પંચાયત મકાન બનાવાશે. નવું પંચાયત મકાન બનાવાતા ગ્રામજનોને સુવિધાનો લાભ મળશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ વડાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના બે હેડ કોન્સ્ટેબલ સહીત સાત પોલીસ કર્મીઓની બદલી કરી પોલીસ હેડ કવાર્ટર ખાતે ટ્રાન્સફર કરી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની આગામી અઢી વર્ષ માટે જાહેરાત કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક બાઈક સવાર બે ઇસમો કાર ચાલકની નજર ચૂકવી રૂપિયા ૧.૧૫ લાખ રોકડા અને અગત્યના દસ્તાવેજ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!