Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે કોરોના પોઝિટિવનાં વધુ ચાર કેસ બહાર આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રાજપારડી તથા પાણેથા પીએચસીના વિસ્તારમાં કુલ ૪ પોઝીટીવ કેસ આવ્યા છે. ઝઘડિયા તાલુકામાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તાલુકાના રાજપારડી, ઝઘડિયા, પીપોદરા, વણાકપોર, ફીચવાડા, અવિધા, બલેશ્વર, રાણીપુરા, દુમાલા બોરીદ્રા, ફુલવાડી વગેરે ગામોએ કુલ મળી અત્યાર સુધીમાં ૪૯ કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આજે આવેલા વધુ ૪ કોરોના પોઝિટિવ સાથે તાલુકાનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૫૩ પર પહોંચ્યો છે. આજે કોરોના પોઝિટિવ આવેલામાં ઝઘડિયાના અશા ગામે (૧) દિલહરબેન સરદારસિંહ દેસાઇ ઉ.વ ૬૪ (૨) મેઘાબેન મયુરસિંહ દેસાઇ ઉ.વ ૩૫ (૩) રાજપારડી ગામની જશોદાબેન જગદીશભાઈ પ્રજાપતિ ઉ.વ ૬૩ તથા (૪) ઉમલ્લા પોલીસ મથકના પીએસઆઈ પી.એન.વલવીને કોરોના પોઝિટિવ કેસ આવતા પાણેથા તથા રાજપારડી પીએચસી દ્વારા તે વિસ્તારના લોકોનો સર્વે કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

નર્મદામાં પુરની સ્થિતિ સર્જાતા ઝઘડિયાના કાંઠા વિસ્તારના ૧૨ ગામોને એલર્ટ કરાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નાં હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામની સીમમાં આવેલ એક કંપનીમાં લૂંટ ચલાવવના પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ

ProudOfGujarat

ઝનોર અને ધર્મશાળા સહિત અંગારેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!