Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં માલજીપુરા નજીક બાઇક સવાર ઇસમનું કારની અડફેટે મોત.

Share

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકાનાં કોલીવાડા ગામે રહેતા શાંતિલાલ ઈશ્વરભાઈ વસાવા ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેમનો પુત્ર હરેશ વસાવા તેની હોન્ડા સાઇન ગાડી લઇ કોલીવાડાથી વાલીયા તાલુકાના ચમારીયા ગામે જવા નીકળ્યો હતો. શાંતિલાલભાઈ તેમના ઘરે હતા ત્યારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેમના પર તેમના ગામના પિયુષભાઈ વસાવાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા પુત્ર હરેશને વાલીયાથી નેત્રંગ તરફ જવાના રસ્તા ઉપર માલજીપુરા ગામના પાટિયા પાસે ફોરવ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી છે. શાંતિલાલભાઈ તેમની ગાડી લઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમનો છોકરો માલજીપુરા ગામના પાટિયા પાસે અકસ્માત થયેલી હાલતમાં પડયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજેલ હતું. ત્યાંથી થોડે દુર એક કાર પણ અકસ્માત થયેલ હાલતમાં પડેલી હતી, પરંતુ તેનો ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો. શાંતિલાલ ઈશ્વરભાઈ વસાવાએ કાર ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં ૧૬૩ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાંથી બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિનું અંગદાન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભેળસેળ યુકત તાડીનું વેચાણ થઈ રહ્યું છે…? જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!