Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લાની રાજશ્રી પોલિફિલ કંપનીની કોલોનીનાં મંદિરમાં ચોરી…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ પાસે આવેલ રાજશ્રી પોલીફિલ નામની કંપનીની કોલોનીમાં રાધાકૃષ્ણનું મંદિર આવેલ છે. આ મંદિરના પૂજારી તરીકે બ્રિજેશ છગનલાલ ઉપાધ્યાય છેલ્લા ૧૧ વર્ષથી કામ કરે છે. ગત તારીખ ૧૩ મીની સાંજે તેઓ આરતી કરીને ઉમલ્લા તેમના ઘરે જતા રહ્યા હતા. બીજે દિવસે સવારે જ્યારે તેઓ કંપની ખાતે આવેલ મંદિરે ગયા ત્યારે તેમને કોઈના દ્વારા જાણવા મળ્યું હતું કે મંદિરના ઓટલા પર આવેલ દાનપેટીનુ પતરૂ તોડીને તેમાંથી કોઇ ચોર રોકડા રૂપિયા ચોરી કરી ગયા છે. પૂજારીએ દાનપેટીનો હિસાબ રાખનાર અરવિંદભાઈ નામના ઈસમને બોલાવી આ બાબતની જાણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મંદિરની દાનપેટી દર ચાર વર્ષે ખોલી એમાંથી રોકડા રૂપિયા ૬ થી ૭ હજાર મળતા હોય છે. રાધાકૃષ્ણ મંદિરના પુજારી બ્રિજેશ છગનલાલ ઉપાધ્યાયે આ અંગે ઉમલ્લા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશ કરીને દાન પેટીનું પતરૂ તોડીને તેમાંથી આશરે રૂપિયા ૬ થી ૭ હજાર ચોરી કરી ગયા બાબતની ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

હાંસોટના ઈલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા ઉત્તરપ્રદેશનાં ચિત્રકૂટમાં રામકથા યોજાઈ.

ProudOfGujarat

૧૯૮૬ માં ચોરી કરી ૨૦૨૨ માં જેલ ભેગા થયા, ભરૂચ પેરોલ ફ્લો ટીમે ૩૬ વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને ટેમ્પાને ટક્કર મારતા એક ઇસમનું કરૂણ મોત નિપજયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!