Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાયરા ગામની દલિત યુવતીને અપહરણ કરી સામુહિક બળાત્કાર કરનારને સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાયરા ગામની દલિત યુવતીને અપહરણ કરી સામુહિક બળાત્કાર તેમજ હત્યા કરવાના બનાવમાં સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે ઝધડીયા દલિત સમાજ સાથે અન્ય સમાજે પણ ટેકો આપી મામલતદારને આવેદનપત્ર આપવા સાથે રેલીમાં પણ જોડાયા હતા અને આરોપીઓને ફાંસી સજા આપવાની માંગ કરી હતી.

તેમજ સમગ્ર બનાવમાં બેજવાબદારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાયરા ગામની એક ૧૯ વર્ષીય દલિત યુવતીનું પહેલી જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની સાથે ચાર જેટલા નરાધમોએ સામુહિક બળાત્કાર કરી તેની હત્યા કરી તેની લાશને વડલાના ઝાડ ઉપર લટકાવી દીધી હતી.જેથી દલિત સમાજમાં હત્યારાઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.પાંચમી જાન્યુઆરીએ તેની વડલા નીચે લાશ લટકતી જોવા મળી હતી છતાં જવાબદાર અધિકારીઓએ બેજવાબદાર બની આરોપીઓને બચાવવાની નીંદનીય કામગીરી કરી હતી અને ત્યારબાદ છેક સાતમી જાન્યુઆરીએ આરોપીઓ સામે પોલીસે ફરિયાદ લીધી હતી.જેથી એક અપહરણ ગેંગરેપ તેમજ હત્યા જેવા બનાવમાં મોડાસાની પોલીસે આરોપીઓને બચાવવાની શંકાસ્પદ ભૂમિકા ભજવી હતી.જેથી ઝધડીયાના દલિત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ દલિત સમાજને સમર્થન આપી રેલીમાં જોડાયા હતા અને બેજવાબદારી દાખવાનાર પોલીસ અધિકારીઓ બરતરફ કરવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

રાજ્યમાં 887 ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન થયું: જાણો રાજ્યનો કુલ રસીકરણનો આંક

ProudOfGujarat

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાશે નેશનલ લોક અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!