Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનુ મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીક ગઇકાલે બપોરના દોઢ વાગ્યાના અરસામાં બે બાઇકો વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યુ હતુ જ્યારે બીજો બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.

રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયાન‍ા રહેવાસી નરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર તેમની મોટરસાયકલ લઇને ગતરોજ બપોરના સમયે સરસાડ ગામે જઇ રહ્યા હતા, ત્યારે રાજપારડીથી આગળ સારસા ગામેથી ઉમધરા તરફ જવાના માર્ગ પર સામેથી આવતી એક બુલેટ મોટરસાયકલ સાથે તેમની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બુલેટ મોટરસાયકલના ચાલક મિહિરસિંહ સુરેન્દ્રસિંહ ચાવડા રહે.ગામ સંજાલી તા.ઝઘડીયાનાનું ગંભીર ઇજાઓને લઇને સ્થળ પરજ કરુણ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક નરેન્દ્રસિંહ પરમાર રહે.ગામ ઝઘડીયાનાને ડાબા હાથના ભાગે ફેકચર થયુ હતુ તેમજ શરીરના અન્ય ભાગોએ ગેબી ઇજા થઇ હતી. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા સંજાલી ગામે ગમગીનીનો માહોલ છવાયો હતો. અકસ્માત અંગે નરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર રહે.ઝઘડીયા જિ.ભરુચનાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચમાં નવનિર્મિત આઈકોનિક બસપોર્ટનો લોકાર્પણ સમારોહ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ૨૧ જૂનના રોજ યોજાશે

ProudOfGujarat

PNC નું The Royals તેના પ્રીમિયરના મહિનાઓ પછી પણ Netflix India પર પાંચમા ક્રમે મજબૂત છે

ProudOfGujarat

ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!