Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો.

Share

ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વણઉકલ્યા ગુનાઓ ઉકેલવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ ગુના અંતર્ગત ગત તા.૧૩ મી ડિસેમ્બરના રોજ ફરીયાદી પોતાની મોટર સાયકલ લઇને રાજપારડીથી અંક્લેશ્વર જવા માટે નિકળેલા હતા, તે દરમિયાન સદર કામના આરોપીઓએ ફરીયાદીના મોબાઈલ ઉપર જણાવેલ કે હું મનુભાઈ બોલુ છું અને મારે ખુરશીઓ વેચાતી જોઈએ છે. તમે અવિધા જવાના રોડ ઉપર આવો હું તમને રસ્તામાં મળીશ. ત્યારબાદ આરોપીઓ સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર આવીને ફરીયાદીની મોટર સાયકલ ઉભી રખાવી હતી. બાદમાં ફરીયાદીને મોઢાના ભાગે લાફો મારી પૈસા આપ નહીતર બહુત માર પડેગા, એમ જણાવ્યુ હતું અને બીજાને કહેલ કે ચપ્પુ નિકાલ ઓર ઉસકો માર આ જોઇને ફરીયાદી ઇસમે ગાડી ઉભી રાખી પોતાની મોટર સાયકલની ચાવી સાઈડમાં ફેકી દઈ સીમોદરા ગામના રોડ તરફ ભાગવા લાગ્યા હતા. ફરીયાદીની પાછળ દોડીને આરોપીઓેએ તેમને પકડીને માર માર્યો હતો. તેમજ રોકડા રૂપીયા તથા મોબાઇલ મળીને કુલ રૂ.૨૦,૫૦૦/- ની લુટ કરી નાશી છુટ્યા હતા. લુંટનો ભોગ બનનારની ફરીયાદના આધારે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે મોબાઇલ પોકેટકોપ તેમજ ઇ ગુજકોપની મદદથી સદર આરોપીઓની મોટરસાયકલના નંબર મુજબ તપાસ કરીને ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં લૂંટના ગુનાને અંજામ આપનાર વર્ણનવાળા ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવેલ. મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબરના આધારે લૂંટનો ગુનો કરનારા ઇસમો રામપરા (જબુગામ) તા.વાલીયા વિસ્તારમાં રહેતા હોવાની જાણ થઇ હતી. આરોપી ચિરાગભાઇ ગણપતભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયા જી, ભરૂચના પોતાના ઘરે આવેલ હોવાની બાતમી મળતા રાત્રીના સમયે છાપો મારી તેને પોતાના ઘરેથી ઝડપી લીધો હતો. લૂંટના મુદ્દામાલ અંગે યુક્તી પ્રયુક્તી કડકાઇથી પુછપરછ કરતા આરોપી ભાગી પડ્યો હતો અને ગુનાની કબુલાત કરી હતી. આ ગુના બાબતે અન્ય કથિત આરોપીઓ ધર્મેશભાઇ દિનેશભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયા અને દિપેશભાઇ દિનેશભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયાનાને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગુજરાતમાં 15 મી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી, પ્રથમ તબક્કામાં ધો.9 થી 12 ની સ્કૂલો શરૂ થઈ શકે : સ્કૂલો ખોલવા અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને રૂપિયા 2 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ

ProudOfGujarat

ભરૂચની રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ : આગ લાગવાનું કારણ અકબંધ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!