Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ખેડૂતના ખેતરમાં લાગેલ આગથી શેરડીના પાકને મોટું નુકશાન.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા કિનારાના વિસ્તારમાં મોટાપાયે શેરડીનું વાવેતર થાય છે. ઝઘડિયાની બંને તરફ સુગર ફેકટરીઓ હોવાના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીનો પાક લે છે. શેરડીના ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. હાલમાં મળતી વિગતો મુજબ ઝઘડિયાના સુલતાનપુરા ખાતે રહેતા દિગ્વિજયસિંહ કિરણસિંહ ચૌહાણે વાઘપુરા ગામની સીમમાં આવેલ ખેતરમાં શેરડીનું વાવેતર કર્યુ છે. આ શેરડીના ખેતરમાં આગ લાગતા ખેડૂતને મોટું નુકશાન થયુ હતું.

આ અંગે ખેડૂત દિગ્વિજયસિંહ ચૌહાણે વીજ કંપની તથા ઝઘડિયા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વાઘપુરા ગામની સીમમાં તેમણે શેરડી વાવેતર કરેલ ખેતીની જમીનમાં થઈને વીજલાઇનના વાયર પસાર થાય છે. ગત તા.૧૬ મીના રોજ વીજ વાયરમાં સ્પાર્કિંગ થતા તેમના ખેતરમાંની શેરડીનો ઊભો પાક બળી ગયેલ છે. શેરડીનો પાક બળી જવાથી આ ખેડૂતને બે લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે. જેથી તેમણે નુકસાનના વળતરની રકમ મેળવવા ડીજીવીસીએલ કચેરી તથા ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

ભરૂચ-ત્રણ કોલેજોમાં છ વર્ષ બાદ જામ્યો ચૂંટણી જંગ-વિદ્યાર્થી સંગઠનો વચ્ચે જામ્યો ખરાખરી નો જંગ-હજારો વિદ્યાર્થીઓએ કર્યું મતદાન જાણો વધુ

ProudOfGujarat

નર્મદા રાજપીપળામાં આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં 6 ગામનાં આદિવાસીઓની મુલાકાત લઈ એમના પ્રશ્નો સાંભળ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!