Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાણીપુરા ગ્રામપંચાયતના ઉપસરપંચ તરીકે મનોજભાઇ દેસાઇની બિનહરીફ વરણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતમાં ચાલુ સાલે છેલ્લા પંદર વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સમરસ પેનલના આઠમાંથી સાત ઉમેદવારો વિજયી થયા હતા. સરપંચ પદે મીતાબેન સુરેશભાઈ વસાવા ચૂંટાઈ આવ્યા હતા. આજરોજ રાણીપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી માટે બેઠક મળી હતી. અધ્યાસી અધિકારી શૈલેષભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને મળેલ ગ્રામ પંચાયતની બેઠકમાં ઉપસરપંચ પદ માટે એકમાત્ર મનોજભાઈ ઠાકોરભાઈ દેસાઈએ ઉમેદવારી કરતા તેઓને ઉપસરપંચ તરીકે બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા. મનોજભાઈ દેસાઈ ચુંટણીમાં વોર્ડ નં. ૨ માંથી પણ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. આ પ્રસંગે સરપંચ મીતાબેન વસાવા તથા ઉપસરપંચ મનોજભાઈ દેસાઈએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ ગામના સર્વાંગી વિકાસ માટે હંમેશાં કટિબદ્ધ રહેશે એવી લાગણી ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાલેજ ખાતે બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું

ProudOfGujarat

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી બે કારો સાથે ચાર બુટલેગરોને ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

જન્મોજનમ સુધી એકબીજાના બની જઇએ આપણે પ્રેમના સબંધને વધુ મજબુત કરીએ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!