Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાંસદની ચેતવણી બાદ ઝઘડિયા તાલુકાની પોલીસનો નિયમભંગ કરતા વાહનો સામે સપાટો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી, ટોઠીદરા, તરસાલી, પાણેથા પંથકમાં નર્મદાના વિશાળ પટમાં આડેધડ થતા રેતખનનનો લાંબા સમયથી પ્રવર્તમાન વિવાદ હાલ ચરમસીમાએ પહોંચતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રેતી ઉપરાંત પત્થર મેટલ કપચી સિલિકા જેવી વિવિધ ખનીજોનું વહન કરતા વાહનો મોટાભાગે ઓવરલોડ જથ્થો ભરીને દોડતા હોવા ઉપરાંત પાણી નિતરતી રેતીનું વહન કરતા હોવાની સાથેસાથે બેફામ રીતે દોડતા હોઇ છાસવારે અકસ્માતો સર્જાય છે. કરજણ નજીક ત્રણ માણસોનું રેતીના ડમ્પરની અડફેટે મોત થયા બાદ હાલમાં ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે પણ રેતીવાહક ટ્રકે અકસ્માત સર્જતા એક વૃધ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યુ હતુ. છાસવારે અકસ્માત સર્જતા વાહન ચાલકો તેમજ નિયમોનો ભંગ કરી આડેધડ રેતખનન કરતા લીઝ સંચાલકો સામે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ લડત ઉપાડતા તંત્ર એકદમ એકશનમાં આવી ગયું હતું. દરમિયાન ભાલોદ ખાતે અકસ્માતનો ભોગ બની મરણ પામનાર મહિલાના પરિવારજનોને સાંત્વના આપવા આવેલા સાંસદ મનસુખભાઇ વસાવાએ સોશિયલ મીડિયા દ્વારા તેમજ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના પોલીસ અધિકારીઓને વારંવાર સુચનાઓ આપવા છતાં બેફિકરાઈથી ચાલતા વાહનો સામે કોઇ કાર્યવાહી થતી નથી, ઝઘડીયા તાલુકાના અકસ્માતમાં તાલુકાની પોલીસની જવાબદારી હોવાનું સાંસદે વધુમાં જણાવ્યુ હતું.

સાંસદે તેમની ભાલોદની મુલાકાત સમયે આપેલ ખુલ્લી ચેતવણી બાદ ઝઘડિયા તાલુકાનું પોલીસ તંત્ર એકદમ એકશનમાં આવ્યુ હતું, અને તેના પગલે ગતરોજ ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથકો દ્વારા આડેધડ બેફામ દોડતા વિવિધ ખનીજવાહક વાહનો સામે તથા જાહેર સ્થળોએ આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી વાહનો જપ્ત કર્યા હતા. જવાબદાર ખાણ ખનીજ વિભાગ ઉપરાંત તાલુકાના સંબંધિત અધિકારીઓના મેળાપીપણામાં ખનીજ માફિયાઓ દ્વારા રોયલ્ટી ચોરી, ઓવરલોડ જથ્થો ભરવો તેમજ ટ્રકોમાં પાણી નિતરતી રેતી ભરીને તેનું વહન કરવું જેવી બાબતો સંબંધે સાંસદની ચેતવણી બાદ નિયમભંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરાતા વાહનચાલકો તેમજ ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઝઘડીયા, રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથકો દ્વારા કુલ ૧૩ જેટલા નિયમભંગ કરતા વાહનો ઝડપીને તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે વિપુલ ખનીજ સંપતિ ધરાવતા ઝઘડીયા તાલુકામાં આડેધડ ખનીજ માફિયાઓ સાથે તાલુકા જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપરાંત કેટલાક સ્થાનિક નેતાઓની પણ મિલીભગત હોવાની બુમો ઉઠવા પામી છે. ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવાએ નિયમભંગ કરી દોડતા વાહનચાલકો તેમજ આડેધડ ખનીજ ખનન કરતા લીઝ માલિકો સામે લડત ઉપાડતા સમાજના જાગૃત નાગરીકો દ્વારા તેઓને સમર્થન આપવામાં આવી રહ્યુ હોવાની વાતો પણ સામે આવી છે. તાલુકામાં રેતી ઉપરાંત મેટલ, સિલિકા જેવી વિવિધ ખનીજો સાથે સંકળાયેલ કેટલાક ઇસમો દ્વારા પણ તેને લગતા ઘણા નિયમોનું ઉલ્લંઘન કરાતુ હોવાની વાતો પણ જાણવ મળી છે. તાલુકામાં હાલ ઠેરઠેર ગ્રામ્ય વિસ્તારોના અંતરિયાળ ભાગો સહિતના વિવિધ વિસ્તારોમાં ઘણાબધા સિલિકાના પ્લાન્ટ કાર્યરત છે, ત્યારે આમાં કેટલા કાયદેસર અને કેટલા કોના બાપની દિવાળીના સિધ્ધાંત મુજબના છે તેની સઘન તપાસ થાય તે જરુરી બન્યું છે. સ્થાનિક અધિકારીઓ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બાબતે કોઇવાર હોબાળો થાય તોજ નામમાત્રના પગલા લેવાય છે. ત્યારે આ બાબતે અન્ય જિલ્લાના અધિકારીઓ કે રાજ્ય કક્ષાના અધિકારીઓને સઘન અને તટસ્થ તપાસ સોંપાય તો ઘણીબધી ગેરરીતિઓ બહાર આવી શકે તેવી લાગણી અને માંગણી તાલુકાની જનતામાં સ્પષ્ટપણે દેખાઇ રહી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી તા.ઝઘડીયા જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વધુ ત્રણ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાંથી રજા અપાઈ જીલ્લો કોરોના મુકત બનશે.

ProudOfGujarat

હાંસોટનાં ખોડિયાર મંદિરના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

ProudOfGujarat

શહેરા તાલુકાના લાભી ગામે સિંચાઇ તળાવ પાસે આવેલા રોડ પાસે રેલિંગના અભાવે અકસ્માતની દહેશત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!