Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સંજાલી ગામે ઉપ સરપંચ તરીકે અનામિકાબેન દેસાઇ નિમાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના સંજાલી ગામે તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદે ઉષાબેન સંજયભાઈ વસાવા વિજયી થયાં હતા. ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી માટે હાલમાં ગ્રામ પંચાયતના ચુંટાયેલા સરપંચ તેમજ સભ્યોની બેઠક તલાટી કલ્પનાબેન વસાવા તથા ગ્રામસેવક જગદીશભાઈ પઢિયારની ઉપસ્થિતિમાં મળી હતી. ગ્રામ પંચાયતની આ પ્રથમ બેઠકમાં ઉપ સરપંચ તરીકે દેસાઈ અનામિકાબેન સુચિતકુમારની બિનહરીફ વરણી થઇ હતી. આ પ્રસંગે સરપંચ, ઉપ સરપંચ તેમજ ચુંટાયેલા સભ્યોએ ગ્રામજનોનો આભાર માન્યો હતો અને તેઓ ગામના વિકાસ માટે હંમેશા કટિબધ્ધ રહેશે તેવી લાગણી ઉચ્ચારી હતી. ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સરપંચ અને ઉપ સરપંચને તેમના સમર્થકો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આર્મીના ડેમો ભરતીનુ આયોજન…

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીનાં કિનારા પર કોરોના પોઝિટીવ દર્દીની અંતિમ વિધિ કરવાના વિવાદ અંગે તંત્ર અને લોકો આમને સામને.

ProudOfGujarat

નડિયાદ : મહુધાના અલીણા ગામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!