Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોસંબા APMC ખાતે શાકભાજી માર્કેટ શરૂ કરાશે.

Share

કોસંબા APMC ખાતે દર શનિવારે ભરાતું બજાર થોડા સમય પહેલા બંધ કરવામાં આવ્યુ હતું પરંતુ નાના ખેડૂતો અને નગરજનોની માંગને ધ્યાને રાખી દર શનિવારે શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવશે.

     આ બાબતે APMC કોસંબાના સંચાલકો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ શનિવારી બજારમાં તાલુકાના તથા આજુબાજુના  તાલુકાનાં નાના આદિવાસી ખેડૂતો અને નાના વેપારીઓ શાકભાજી વેચાણ અર્થે આવે છે. તેમજ કોસંબા તરસાડી તથા આજુબાજુના ગામના ગ્રામજનો ખરીદી કરવા આવે છે. આ તમામ પ્રજાજનો તથા ખેડૂતોની માંગને ધ્યાને રાખી તા. ૨૯/૦૧/૨૦૨૨ થી દર શનિવારે શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવશે. જેમાં ફક્ત ફળ અને શાકભાજીનું જ વેચાણ થશે અને કોરોના મહામારીમાં સરકારની તમામ ગાઈડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે તેમ APMC કોસંબાના ચેરમેન  દિલીપસિંહ રાઠોડ દ્રારા જણાવેલ છે. 

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા મહામારીમાં વન્યવિસ્તારનાં લોકોને આર્થિક સહયોગની માંગ કરી.

ProudOfGujarat

સુરતના સણિયા હૈમાદ ખાતે શુભમ ઇન્‍ડસ્‍ટ્રીઝ નજીક આવેલ મની ટ્રાન્‍સફરની ઓફીસમાં લૂંટ કરવાના ઇરાદે તમંચા તથા પિસ્‍તોલ સાથે ફરતા બે યુવકોને ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી પાડયા

ProudOfGujarat

નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ખાતે આજે વિધાનસભામાં પસાર થયેલા કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને લઈને કાયદાને પગલે આજે આજુબાજુના ગ્રામજનો દ્વારા આજરોજ વિરોધ કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!