Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સિંગણપુર વિસ્તારમાં દુકાનો સીલ કરાતા શહેર વિકાસ ગૃહ નિર્માણ મંત્રીના કાર્યાલયની બહાર દેખાવો કર્યો.

Share

સુરતના સિંગણપોર વિસ્તારમાં 40 જેટલી દુકાનો અને મનપાના કતારગામ ઝોન દ્વારા સીલ મારતા રજૂઆત માટે દુકાનદારો શહેરી વિકાસ મંત્રીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા પરંતુ મંત્રી ખુદ તેમના કાર્યાલય પર હાજર ના હોય આથી દુકાનદારો દ્વારા કાર્યાલયની બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો.

ટૂંક સમય પહેલાં સુરતના સિંગણપોર વિસ્તારમાં મનપા દ્વારા ૪૦ જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા કામગીરી સતત ચાલુ રહેતા લારીવાળાઓ અને દુકાનદારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દુકાનદારોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. નાના પાયે કામ કરતા લોકોને રોજીરોટી છીનવાઇ જતા લારીવાળાઓ દ્વારા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનુ મોરડિયાની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ ધારાસભ્ય તેમના કાર્યાલય પર ઉપસ્થિત ના હોય આથી દુકાનદારોએ વિનુ મોરડિયાની હાય બોલાવી હતી અને સંખ્યાબંધ દુકાનદારોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આગામી સમયમાં જો દુકાનોના સીલ ખોલવામાં નહીં આવે તો જાતે જ સીલ ખોલી દેવાની ચીમકી પણ આ તકે દુકાનદારોએ ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

સેવા અને ત્યાગ મુર્તિ એવા પુર્વે ધારાસભ્ય મહંમદ ભાઈ ફાંસીવાલા ની શ્રધ્ધાજંલી સભા યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામની હદમાં આવેલ જમીન પર એક ભરવાડ દ્વારા વર્ષોથી દબાણ ખડકી દેવામાં આવ્યુ હતુ,જેને તંત્ર દ્વારા દૂર કરીને સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી

ProudOfGujarat

નવા આર.ટી.ઓ ના નિયમ વિરુદ્ધ આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!