Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જૂની સિવિલ પાસે આવેલ મંદિરમાં ખોડિયાર જયંતિની કરાઇ ઉજવણી.

Share

આજરોજ તારીખ 9 ને બુધવારને મહાસુદ આઠમ ખોડીયાર માતાની જન્મ જયંતી.જુના ભરૂચમા આર.એસ દલાલ સ્કૂલ પાસે આવેલ ખોડીયાર માતાના મંદિરમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં આર એસ દલાલ પાસે જૂની સિવિલમાં ખોડિયાર માતાનું અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલ છે એવું કહેવાય છે કે નવઘણને આ મંદિરની સ્થાપના કરી હતી અહીં આવનાર દરેક લોકોની માનતા પૂર્ણ થાય છે. માલધારી સમાજના કુળદેવી પણ હોય આ મંદિરે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

દર વર્ષની જેમ પરંપરાગત રીતે ખોડિયાર જયંતિની ઉજવણી કરાઈ હતી. ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મંદિરમાં યોજવામાં આવ્યા હતા. જેમાં મહા આરતી, હવન તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજકોટ ખાતે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલનું આયોજન કરાયું

ProudOfGujarat

વાંકલના પાનેશ્વર ફળિયા નજીક મુખ્ય માર્ગ પર અડચણરૂપ પાર્ક કરેલ ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતાં ચાલકનો બચાવ.

ProudOfGujarat

નવસારી ખાતે તિરંગા યાત્રા યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!