Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂંપડામાં લાગી આગ.

Share

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના મકતમપુર નજીક આવેલ કોઠી ફળિયાની ઝૂંપડપટ્ટીમા આજે સવારે અચાનક આગ ભભૂકતા નાસભાગ મચી જવા સાથે અફરાતફરી સર્જાવા પામી હતી.

અચાનક ફાટી નીકળેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15 જેટલા ઝૂંપડાઓ આ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ આગને પગલે ઝૂંપડાની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી. જોકે આ આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે. આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક રોડ પર પાણી ભરાયા

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નીમીત્તે ધ્વજ વંદન નો કાયઁકમ યોજાયો.

ProudOfGujarat

CS પ્રોફેશનલ ફાઈનલનું પરિણામ જાહેરઃ સુરતી સ્ટુડન્ટે દેશભરમાં મેળવ્યો બીજો ક્રમ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!