Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા એપાર્ટમેન્ટમાં આગ લાગતા દોડધામ

Share

ઉનાળાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે, જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા એક માસમાં આગ લાગવાના અનેક બનાવો બની ચુક્યા છે, ઔધોગિક એકમો તેમજ રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેમાં વધુ એક ઘટના સામે આવી છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી પાસેના જલધારા કો.હાઉસિંગ સોસાયટીના એપાર્ટમેન્ટના ચોથા માળે આજે સવારે અચાનક આગ લાગ્યા બાદ ધુમાળાના ગોટેગોટા નજરે પડતા એક સમયે એપાર્ટમેન્ટમાં વસતા લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.

એપાર્ટમેન્ટમાં અચાનક લાગેલ આગનું ચોક્ક્સ કારણ હાલ સુધી સામે આવ્યું નથી પરંતુ અચાનક બનેલ ઘટનામાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

ભરૂચ : સામાજીક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ દ્વારા પ્રાથમિક શાળા ભમાડીયા ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

રવિવારે સિધ્ધનાથ મહાદેવ વિરમગામ ખાતે “૨૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞ”યોજાશે

ProudOfGujarat

દહેજમાં આવેલી અને પોટેશિયમ પર્મેન્ગેટેટ બનાવતી યુનિવર્સલ કંપનીના ગોડાઉનમાં આગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!