Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા એપાર્ટમેન્ટમાં આગ લાગતા દોડધામ

Share

ઉનાળાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે, જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા એક માસમાં આગ લાગવાના અનેક બનાવો બની ચુક્યા છે, ઔધોગિક એકમો તેમજ રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેમાં વધુ એક ઘટના સામે આવી છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી પાસેના જલધારા કો.હાઉસિંગ સોસાયટીના એપાર્ટમેન્ટના ચોથા માળે આજે સવારે અચાનક આગ લાગ્યા બાદ ધુમાળાના ગોટેગોટા નજરે પડતા એક સમયે એપાર્ટમેન્ટમાં વસતા લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.

એપાર્ટમેન્ટમાં અચાનક લાગેલ આગનું ચોક્ક્સ કારણ હાલ સુધી સામે આવ્યું નથી પરંતુ અચાનક બનેલ ઘટનામાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત મહિલાઓને ટેકનિકલ તાલીમ અપાય.

ProudOfGujarat

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેડને સલામી આપી, કર્તવ્ય પથ પર રચાયો ઈતિહાસ

ProudOfGujarat

ભરૂચ શહેર માં વસ્તા માછીમારોની રોજી રોટી છીનવાઈ જતા નર્મદા નદી ને જીવંત રાખવા માછીમાર સમાજ સહ પરીવાર સાથે ૧૬ એપ્રીલ ના રોજ મહારેલી યોજી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરશે……….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!