Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા એપાર્ટમેન્ટમાં આગ લાગતા દોડધામ

Share

ઉનાળાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે, જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા એક માસમાં આગ લાગવાના અનેક બનાવો બની ચુક્યા છે, ઔધોગિક એકમો તેમજ રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેમાં વધુ એક ઘટના સામે આવી છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી પાસેના જલધારા કો.હાઉસિંગ સોસાયટીના એપાર્ટમેન્ટના ચોથા માળે આજે સવારે અચાનક આગ લાગ્યા બાદ ધુમાળાના ગોટેગોટા નજરે પડતા એક સમયે એપાર્ટમેન્ટમાં વસતા લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.

એપાર્ટમેન્ટમાં અચાનક લાગેલ આગનું ચોક્ક્સ કારણ હાલ સુધી સામે આવ્યું નથી પરંતુ અચાનક બનેલ ઘટનામાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

ભૃગુ ઋષિએ 8000 વર્ષ પેહલા કાચબાની પીઠ પર સવાર થઈ 18000 શિસ્યો સાથે ભૃગુનગરી વસાવી હતી.જાણો ક્યાં

ProudOfGujarat

પંચમહાલ સમાહર્તાનો અભિનવ કાર્યારંભ ગોધરા શહેર અને શહેરીજનોની સુવિધાઓ સમસ્‍યાઓનું જાત નિરિક્ષણ

ProudOfGujarat

પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે કોરોનો વાઇરસ સામે આગોતરું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!