Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના વીસા ફળીયામાં જર્જરીત મકાન ધરાશાય થયું.

Share

અંકલેશ્વરના ગોયા બજાર પાસે આવેલ વીસા ફળીયામાં એક જર્જરિત મકાન ધરાશાય થતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ફાયર અને સેનિટેશન વિભાગની ટીમ દોડી આવી કાટમાળ ખસેડયો હતો. આ બનાવમાં ભાડુઆત પરિવારનો બચાવ થયો હતો.

અંકલેશ્વરના વીસા ફળીયામાં એક જર્જરીત મકાન અચાનક ધરાશાય થતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા જોકે  મકાનમાં રહેતા ભાડુઆત પરિવાર બહાર નીકળી ગયો હતો. આ ઘટનાની જાણ નગર પાલિકામાં થતા પાલિકા પ્રમુખ વિનય વસાવા અને ફાયરની ટીમ તેમજ સેનીટેશન વિભાગની ટીમ તાત્કાલીક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ કાટમાળ ખસેડવામાં આવ્યો હતો આ. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં દૂધ, દવા, સસ્તાં અનાજની દુકાનો, એલ.પી.જી- પેટ્રોલપંપ, હોસ્પિટલ સિવાયની તમામ દુકાનો-સેવાઓ બંધ રહેશે.

ProudOfGujarat

ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં 33 વિકાસકામોને મંજૂરી, સફાઈ અને ગટર મુદ્દે કોંગ્રેસનો વિરોધ

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા કોંગ્રેસ કાર્યકરોનું વિશાળ સંમેલન રમણ મૂળજી ની વાડી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યું હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!