Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના વીસા ફળીયામાં જર્જરીત મકાન ધરાશાય થયું.

Share

અંકલેશ્વરના ગોયા બજાર પાસે આવેલ વીસા ફળીયામાં એક જર્જરિત મકાન ધરાશાય થતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ફાયર અને સેનિટેશન વિભાગની ટીમ દોડી આવી કાટમાળ ખસેડયો હતો. આ બનાવમાં ભાડુઆત પરિવારનો બચાવ થયો હતો.

અંકલેશ્વરના વીસા ફળીયામાં એક જર્જરીત મકાન અચાનક ધરાશાય થતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા જોકે  મકાનમાં રહેતા ભાડુઆત પરિવાર બહાર નીકળી ગયો હતો. આ ઘટનાની જાણ નગર પાલિકામાં થતા પાલિકા પ્રમુખ વિનય વસાવા અને ફાયરની ટીમ તેમજ સેનીટેશન વિભાગની ટીમ તાત્કાલીક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ કાટમાળ ખસેડવામાં આવ્યો હતો આ. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

કરજણના કિયા ગામ ચોકડી પાસે એક ટ્રકના કેબીનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2178 થઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કાલિયાપુરા ગામે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!