Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા પાસે લોખંડની રેલિંગમાં બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો.

Share

નડિયાદમાં સરદાર ભવન નજીક આવેલી ગાંધીજીની પ્રતિમા પાસેથી આજે વહેલી સવારે પસાર થયેલી એક એસ.ટી બસ રેલિંગમાં ઘુસી જવાથી અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

મળતી વિગતો અનુસાર નડિયાદમાં સરદાર ભવન નજીક આવેલ ગાંધીજીની પ્રતિમા પાસેથી આજે વહેલી સવારે એક બસ પસાર થઇ રહેલ હોય જે બસ થરાદથી વડોદરા તરફ જતી હોય આ એક્સપ્રેસ બસ ઓવરબ્રિજના સરદાર ભવન પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એકાએક જ બસ ગાંધીજીની પ્રતિમાની ફરતે આવેલી રેલીમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગાંધીજીની પ્રતિમાને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી પરંતુ અને ફરતે આવેલી રેલિંગ તૂટી ગઈ હતી તેમજ લોખંડની સીડી પણ તૂટી ગઈ હતી. ઉપરાંત એસ.ટી બસનો કાચ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો, તો બસના આગળના ભાગમાં પણ ભારે નુકસાની થઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં એસ.ટી બસના ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ બસમાં બેઠેલા તમામ મુસાફરોને તાત્કાલીક ધોરણે અન્ય બસમાં રવાના કરવામાં આવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીએ બોર્ડ મારી ભેટ સોગાદ લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

રાજ્ય ચૂંટણી આયોગે ભરૂચ જિલ્લાની ૪ નગરપાલિકાઓની બેઠકોનું કોસ્ટર જાહેર કર્યું 

ProudOfGujarat

નડિયાદ મામલતદાર કચેરી ખાતે સિનિયર સિટીઝન માટે આયુષ્માન કાર્ડ માટે જરૂરી આવકના દાખલા કઢાવવા માટે કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!