Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ડોલર અને ગુલાબના ફૂલનો શણગાર કરાયો.

Share

સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂર્ણિમાનું અનેરૂ મહત્વ હોય છે હાલ કાળઝાળ ગરમીમાં ભગવાનને પણ રાહત મળે તે માટે જામનગર સ્થિત વડતાલ તાબાના બેડી ગેટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ડોલરના અને ગુલાબના ફુલના શણગાર કરવામાં આવ્યા હતા.

જામનગરમાં બેડી ગેટ સ્થિત આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરે ભગવાનને કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મુખ્ય ખંડમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ તેમજ દ્વિતીય ખંડમાં બિરાજતા અને રાધા-કૃષ્ણ દેવને ૧૫ કિલોગ્રામ ડોલરના ફૂલ તેમજ ગુલાબના ફૂલ સાથેનો હરિભક્તોએ ભગવાનને પણ કાળઝાળ ગરમીમાં ટાઢક વળે તે માટે ફૂલોનો શણગાર સજાવવામાં આવ્યો હતો આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના ભક્તોએ ફૂલોના શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં વિદ્યાર્થીઓએ રોડ પર બેસીને બસ રોકો આંદોલન કર્યું

ProudOfGujarat

અનોખી ભક્તિ : વડોદરાના રેખાબેન ઠક્કરે ૨૦ મહિનામાં ૨ હજાર પાનાનું લખ્યું રામાયણ.

ProudOfGujarat

રાજપીપળા : ફરજિયાત માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝીંગ અને સોશીયલ ડિસ્ટન્સનાં ચુસ્ત પાલન સાથે કોરોના વાયરસનાં ઝડપી સંક્રમણને અટકાવવાનાં જિલ્લા પ્રશાસનનાં પ્રયાસોમાં સહકાર આપવા જિલ્લા કલેક્ટરશ્રીનો જાહેર અનુરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!