Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પ્રાંત કચેરીના શિરસ્તેદારની જગ્યા પર યોગ્ય મહેસૂલનું જ્ઞાન ધરાવતા અધિકારીને મૂકવા માંગ.

Share

અંકલેશ્વર પ્રાંત કચેરીમાં શિરસ્તેદારના હોદ્દા પર મહેસૂલ અંગેની કામગીરી અધૂરા જ્ઞાનના કારણે થતી હોવાની બૂમ ઉઠવા પામી છે. પ્રાંત કચેરીમાં આવતા ખેડૂતોના મહત્વના કામોમાં વિલંબ થઈ રહ્યો છે અથવા ખોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રો ઓનલાઈન એપ્લિકેશનથી પ્રાંત કચેરીએથી મેળવવાના હોય છે અને ખેડૂતોને સુગમતાથી દાખલો મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમ છતાં પણ અધિકારીઓની કામ કરવાની અનિચ્છા અથવા મહેસૂલનું અપૂરતું જ્ઞાન જવાબદાર હોવાનું અરજદારએ કલેકટરને કરેલ અરજીમાં જણાવ્યુ છે. ખેડૂતો જે અરજી કરે છે તેની પણ ફી વ્યર્થ જાય છે. આમ અંકલેશ્વર કચેરીના શિરસ્તેદાર દ્વારા ખેડૂતોને હેરાનગતિ કરતી હોય અને ખેડૂત ખરાઈની અરજી થાય ત્યારે સમગ્ર પ્રકરણનો અભ્યાસ કરી એક જ વખત નિર્ણય લેવામાં આવે તો ખેડૂતોના નાણાનો વ્યય થતો અટકી શકે છે. અંકલેશ્વર પ્રાંત કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી એક જ શિરસ્તેદાર કામ કરતાં હોય આ જગ્યા મહત્વની હોય તો આવી જગ્યા પર મહેસૂલી યોગ્યા જ્ઞાન ધરાવતા અધિકારીની નિમણૂક થાય તેવી રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

આમોદ પોલીસ દારૂનાં હપ્તા લેવાનું બંધ કરો નાં સૂત્રોચ્ચાર સાથે આમોદનાં અણોર ગામે ગ્રામજનોએ રેલી યોજી.

ProudOfGujarat

અંક્લેશ્વર ખાતે જે સાંઈ મિશન દ્વારા ગરીબોને ભોજન કરાવાયું…

ProudOfGujarat

દેવભૂમિ દ્વારકામાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું આગમન, શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!