Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

કસક ગરનાળું બંધ થશે તો કેવી પરિસ્થિતિ સર્જાશે જરા કલ્પના કરો…

Share

 

ગોલ્ડન બ્રિજની સંમાતર ભરૂચ નજીક નર્મદા નદી પર પૂલ આકાર લઇ રહ્યો છે તેના થાંભલા ઉભા કરવા માટે કસક ગરનાળું કેટલોક સમય વાહન વ્યવહાર માટે બંધ કરવો પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. કસક ગરનાળું બંધ હશે તેવી અટકળો વહેતી થતા રહીશોના જીવ તાલાવે ચોંટી જાય છેએના કારણે ભરૂચ થી ઝાડેશ્વર જતા અને આવતા લોકોને ખાસો એવો ચકરાવો એટલે કે વધુ અંતર કાપવું પડે છે. તો બીજી બાજુ એવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે કે કસક ગરનાળું, ઝાડેશ્વર રોડ, શીતલ સર્કલ તેમજ ગોલ્ડન બ્રિજ જેવા વિસ્તારોમાં કસક ગરનાળું બંધ થતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેનો અનુભવ ભુતકાળમાં સૌને થઇ ગયો છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ અવાર જવર કરવામાં વધુ સમય જતો હોય આગના બનાવ વિકરાળ બને છે તો દર્દીઓની પરિસ્થિતિ વિકટ બની જાય છે.

Advertisement

અત્રે નોંધવું રહ્યું કે અત્યાર સુધી કસક ગરનાળું બે વાર બંધ કરવામાં આવ્યું અને બંને વખત મહિનાઓ સુધી લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


Share

Related posts

ગોધરા ખાતે પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નબીપુર નજીક કારમાં આગ લાગી.

ProudOfGujarat

પુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે

ProudOfGujarat
error: Content is protected !!