Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધરેથી કહ્યા વગર નીકળેલ અમદાવાદનાં બે બાળકોનું પરીવાર સાથે મીલન

Share

અમદાવાદ ખાતે આવેલ ઈસનપુર વિસ્તારના મિલ્લતનગરમા રહેતા બે બાળકો કોઈને કહ્યા વગર ગત ૬ ડીસેમ્બરના રોજ પોતાના ઘરેથી નીકળી ગયા હતા. આ બાદ તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી મુંબઈ તરફની કોઈ ટ્રેનમાં બેસી ગયા હતા. જોકે આ પછી આ બન્ને બાળકોને ભુખ લાગતા બન્નેએ ચાલુ ટ્રેનમાં ભીખ માંગતા ટ્રેનમાં સવાર એક પેસેન્જરની નજર આ બન્ને બાળકો પર પડતાં તેઓએ આ બન્ને બાળકોને લઈને નડિયાદ રેલવે પોલીસને સોંપ્યા હતા.ચાઈલ્ડ લાઈન અને ડીસીપીયુએ ઈસનપુર પોલીસનો સંપર્ક કર્યો આ બાદ રેલવે પોલીસે ખેડા ચાઈલ્ડ લાઈનને સમગ્ર કેસ સોપ્યો હતો. ખેડા ચાઈલ્ડ લાઈનના મીનાક્ષીબેન, તરલિકાબેન,ડીસીપીયુના ડો.અલકાબેન રાવલ દ્વારા બાળકોનું કાઉન્સિલીગ કરાતા આ બન્ને લોકોએ પોતાના નામ જણાવ્યા હતા અને પોતે સગાભાઇઓ થાય છે. તેઓ બન્ને અમદાવાદ ખાતે રહે આ વિગતના આધારે અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ જરૂરી કાર્યવાહી કરી બન્ને બાળકોને તેના પરિવારજનોને સોંપ્યા છે. તપાસમાં આ બન્ને બાળકો મુંબઈ સ્થિત ગોકુલધામ સોસાયટીમાં જેઠાલાલને મળવા જવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા નજીક ડભાલ ગામેથી પત્તા પાનાનો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

‘આપ’ ના નેતા મહેશ સવાણીએ પારણાં કર્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!