Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનનાર મકાનનું ખાતમુહૂર્ત કરાયુ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે ગ્રામ પંચાયતના નવા બનાવવામાં આવનાર મકાનનું આજરોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરપંચ સુરેશભાઇ વસાવા તેમજ ઉપસરપંચ વિનોદભાઇ વસાવાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. તાલુકા મથક ઝઘડિયા ખાતે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનાવવામાં આવનાર મકાનના ખાત મુહુર્તના કાર્યક્રમમાં સરપંચ સુરેશભાઇ વસાવા, ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, ભાજપા અગ્રણી દિનેશભાઇ વસાવા, સંજયસિંહ ચૌહાણ, તલાટી જનકભાઇ, અગ્રણીઓ વિજયસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ પરમાર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે સુલતાનપુરા ખાતે પાણીની ટાંકી પાસે ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવાશે. જીલ્લા પંચાયત દ્વારા રુ.૨૫૭૭૦૦૦ ના ખર્ચે આ નવું પંચાયત મકાન બનાવાશે. નવું પંચાયત મકાન બનાવાતા ગ્રામજનોને સુવિધાનો લાભ મળશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

કર્ણાટક વિધાનસભાની સ્થાનિક સ્વરાજ અને પંચાયતી રાજ વિષયની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

લીંબડીના નવનિર્મિત બસ સ્ટેશનમાં ગંદકીનાં સામ્રાજ્યથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામે મોબાઇલ પર સટ્ટાબેટિંગના આંકડા લખાવતો યુવક ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!