Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ઇન્દોર રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અક્સ્માતમાં એકનું મોત

Share

કઠલાલના લાડવેલ ગામે રહેતા ૫૫ વર્ષિય ભીખાભાઇ નાનાભાઇ રાઠોડ ગઇકાલે મોટરસાયકલ પર પોતાના ગામથી નજીક આવેલા ખેતરમાં જતાં હતાં. આ દરમિયાન અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સિતાપુરા પાટીયા પાસે તેઓ રોગ સાઈડે પોતાનું વાહન હંકારતાં હતા તે સમયે સામેથી આવતાં મોટરસાયકલ સાથે ભીખાભાઈએ પોતાનું વાહન ટકરાયુ હતુ. જેના કારણે આ બંને બાઈક ચાલકો રોડ ઉપર પટકાતા બંનેની શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો આવી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને વાર લાગતાં સ્થાનિકોએ ખાનગી વાહન મારફતે આ ઘવાયલા ચાલકોને કઠલાલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ભીખાભાઇ નાનાભાઇ રાઠોડનુ મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના ભત્રીજા શૈલેશકુમાર ભલાભાઇ રાઠોડે કઠલાલ પોલીસને જાણ કરતા પોલીસે ફેટલ
અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપીપલા : નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં “ગ્રીન નર્મદા” પ્રોજેકટ સંદર્ભે વન મહોત્સવની ઉજવણી પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની યોજાઇ સમીક્ષા બેઠક.

ProudOfGujarat

રાજપીપળા : આજે બપોરે ૧૨:૦૦ કલાકે કરજણ ડેમની સપાટી ૧૧૦.૧૭ મીટરે નોંધાઇ.

ProudOfGujarat

ભરૂચના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં કાર ભડકે બળી, સદનસીબે કોઇ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!