Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં સી.એન.જી. ના પંપો બંધ રહ્યા રિક્ષાચાલકો તેમજ વાહન ચાલકોને પડી મુશ્કેલી

Share

ભરૂચ જીલ્લામાં આજરોજ સી.એન.જી.પંપો અગાઉ કરેક જાહેરાત મુજબ બંધ રહ્યા હતા જેના પગલે ભરુચ પંથકમાં ફરતી આશરે 2000 કરતાં વધુ રિક્ષા ચાલકોને બેરોજગારીનો સામનો કરવો પડયો હતો. સી.એન.જી. આધારિત રિક્ષા ચાલકો સી.એન.જી. ગેસ ન મળતા પોતાનો રોજનો ધંધો કરી શકયા ન હતા પરિણામે એક દિવસ રિક્ષાચાલકોને બેકારીનો સામનો કરવો પડયો હતો. ભરુચ જીલ્લામાં આવેલ સી.એન.જી. પંપના માલીકોના જણાવ્યા અનુસાર ગેસના વેચાણ ઉપર તેમનું કમિશન ઓછું હોવાના પગલે તેઓને હડતાળ પાડવાની ફરજ પડી હતી. સાથે જ ઘણા લાંબા સમયથી ગેસના કમિશનમાં વધારો કરવા અંગે સી.એન.જી. પંપના માલિકોએ દરખાસ્ત મૂકી હતી એટલું જ નહીં પરંતુ વારંવાર રજૂઆત પણ કરી હતી તેમ છતાં તેમની રજૂઆતને ધ્યાને લેવામાં ન આવતા આજરોજ ભરુચ જિલ્લાના સી.એન.જી. પંપના માલિકોએ એક દિવસ પંપ બંધ રાખી પ્રતિકાત્મક અસર પાડી હતી સાથે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો આવનાર તા. 16 સુધી સી.એન.જી. ના કમિશન અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અમુદ્દતની હડતાળ પાડવામાં આવશે એટલે કે સી.એન.જી. પંપો જ્યાં સુધી સમાધાન નહીં ત્યાં સુધી બંધ રાખવામા આવશે.

Advertisement

Share

Related posts

જ્ઞાન શક્તિ દિનની ઉજવણી નિમિત્તે માંગરોળ તાલુકાનીઆંબાવાડી ગામની કુંડી પ્રાથમિક શાળામાં નવા ઓરડાના ખાત મુહુર્ત કરવામાં આવ્યું.

ProudOfGujarat

પંચમહાલમાં કોવિડ હોસ્પિટલ્સ, કોવિડ કેર સેન્ટર પર ડોક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાં : ટેમ્પો ફસાયો તો જે.સી.બી. મંગાવી ટેમ્પો હટાવાયો પણ તે રસ્તાની મરામત કોણ કરશે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!